________________
૮૨.
ચોવીશ તીર્થંકર
ચરણન્યાસથી પવિત્ર કરતાં એવા પ્રભુએ તેમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કર્યો. પ્રભુએ અઢારસો ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને ‘તથયિ નમઃ એવી વાણીને ઉચ્ચારતા રત્નસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. પછી સુર, અસુર, માનવ, તીર્થંચ વગેરે યોગ્ય દ્વારેથી પ્રવેશ કરીને યથોચિત સ્થાને બેઠો. પછી ઈન્દ્ર ભગવંતને પ્રણામ કરીને ભક્તિના ભાવભર્યા વેગથી સ્તુતિ કરી.
ઇન્દ્રની સ્તુતિ પૂરી થયા બાદ શ્રી ચંદ્રપ્રભ સ્વામીએ ધમદિશના આપવાનો આરંભ કર્યો. પ્રભુની દેશનામાં સંસારનું સ્વરૂપ અને ભવસાગર પાર કરવાની કુંચી હતી.
પ્રભુની દેશનાથી અનેક લોકો પ્રતિબોધ પામ્યા. એ જ સમયે હજારો લોકોએ પ્રવજ્યા અંગીકાર કરી.
શ્રી ચંદ્રપ્રભ સ્વામીને દત વગેરે સહિત ત્રાણું ગણધરો થયા. તેઓએ ઉત્પાદાદિ ત્રિપદી વડે દ્વાદશાંગી રચી. પ્રભુની દેશનાને અંતે ચરણપીઠ પર બેસીને દત્ત ગણધરે પ્રાણીઓને બોધ આપનારી દેશના આપવા માંડી.
દત્ત ગણધરની દેશના પૂરી થયા પછી સૌ પોતપોતાના સ્થાને જવા વિદાય થયા.
શ્રી ચંદ્રપ્રભ સ્વામીના તીર્થમાં હંસના વાહનવાળો, દક્ષિણ ભુજામાં વત્સ અને વામ ભુજામાં મુદુગરને ધારણ કરનારો વિજય નામનો યક્ષ અને હંસના વાહનવાળી, પીળા અંગવાળી,
બે દક્ષિણ ભુજામાં ખગ અને મુર્ગાર ધારણ કરનારી તથા બે વાભુજામાં ફલક તથા ફરસીને રાખનારી ભૃકુટી નામે દેવી એ અને શ્રી ચંદ્રપ્રભ સ્વામીના શાસનદેવતા થયા.
શાસનદેવ વિજય યક્ષ અને શાસનદેવી ભ્રકુટી હમેંશા પ્રભુની પાસે જ રહેતા હતા. શ્રી ચંદ્રપ્રભ સ્વામી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
શ્રી ચંદ્રપ્રભ સ્વામીને અઢી લાખ સાધુઓ, ત્રણ લાખ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org