________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામી
અને એક દિવસ લોકાંતિક દેવતાઓએ આવીને ચંદ્રપ્રભકુમારને દીક્ષાનો સમય જણાવ્યો..તરત જ ચંદ્રપ્રભકુમારે સંવત્સરી દાન આપવાનો પ્રારંભ કર્યો. વર્ષના અંતે આસન ચલિત થવાથી ઇન્દ્રોએ આવીને સેવકોની જેમ શ્રી ચંદ્રપ્રભસ્વામીનો દીક્ષાભિષેક કર્યો. ત્યારપછી મનોરમા નામની શિબિકા ઉપર પ્રભુ આરૂઢ થયા. આ પ્રસંગે સુર, અસુર નર તથા ઇન્દ્રાનો પરિવાર શોભાયાત્રામાં સામેલ થયો. મનોરમા શિબિકામાં આરૂઢ થયેલા પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. શ્રી ચંદ્રપ્રભ સ્વામી શિબિકામાંથી ઊતર્યા અને ત્રણ રત્નોને ગ્રહણ કરવાની ઇચ્છા ધરાવતા પ્રભુએ રત્નાલંકારદિનો ત્યાગ કર્યો. અને પોષ માસની કૃષ્ણ ત્રયોદશીના દિવસે છઠ્ઠનો તપ કરીને હજાર રાજાઓની સાથે શ્રી ચંદ્રપ્રભસ્વામીએ પ્રવજ્યા અંગીકાર કરી. તરત જ મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનોદ્રવ્યનો પ્રકાશ કરનારું મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન પ્રભુને ઉત્પન્ન થયું.
શ્રી ચંદ્રપ્રભ સ્વામીએ બીજા દિવસે પાખંડ નગરમાં રાજા સોમદત્તને ત્યાં જઈને પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ વસુંધરાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. રાજા સોમદત્ત જ્યાં શ્રી ચંદ્રપ્રભસ્વામી ઊભા હતા ત્યાં રત્નપીઠ કરાવી. શ્રી ચંદ્રપ્રભસ્વામી ત્યાંથી વિહાર કરતાં ગામ-નગરમાં ભ્રમણ કરવા લાગ્યા અને ધર્મબોધ આપવા લાગ્યા. પ્રભુએ છદ્મસ્થપણે ત્રણ માસ સુધી વિહાર કર્યો હતો. વિહાર કરતા પ્રભુ ફરીવાર સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં પુનાગ વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરીને ઊભા રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે રહેલા પ્રભુના ઘાતિકર્મ વિનાશ પામ્યા. ફાગણ માસની કૃષ્ણ સપ્તમીના દિવસે છઋતપ જેમણે કર્યો છે એવા પ્રભુને ઉજ્જવળ, પ્રકાશમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
તરત જ સુર-અસુરોના ઇદ્રોએ ત્યાં આવીને યોજના પ્રમાણક્ષેત્રમાં પ્રભુને દેશના આપવા અર્થે સમોવસરણની રચના કરી.
દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના નવ કમળોને
ચો. તી. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org