________________
૮૦
ચોવીશ તીર્થંકર
થયેલો જાણીને છપ્પન દિકકુમારીઓએ આવીને સૂતિકા કર્મ કર્યું.
ત્યારબાદ જન્મસ્નાત્ર કરવાની ભાવના સેવતો ઈદ્ર પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યો અને પ્રભુને લઈને મેરુ પર્વતના શિખરે લઈ ગયો. ત્યાં અતિપાંડુકબલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્કંગમાં લઈ ઇન્દ્ર રત્નસિંહાસન ઉપર બેઠા. ત્યારપછી અશ્રુત વગેરે ત્રેસઠ ઇદ્રોએ હર્ષોલ્લાસ સાથે પ્રભુને સ્નાન કરાવ્યું. ત્યારપછી ઈશાન ઈન્દ્ર પ્રભુને અંક રૂપ પીંકમાં લઈને બેઠા. એટલે સૌધર્મઇન્દ્ર વૃષભના શૃંગમાંથી ઉછળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું ; અંગરાગ, નેપથ્ય અને વસ્ત્રોથી ભગવંતનું ભક્તિ વડે અર્ચન કરી ઇન્દ્ર સ્તુતિ કરી.
- સ્તુતિ કર્યા પછી શક્રેન્દ્ર ઈશાનંદ્ર પાસેથી પ્રભુને લીધા અને લક્ષ્મણાદેવીની પાસે યથોચિત સ્થાને સ્થાપન કયાં.
મહારાજા મહાસને પુત્રજન્મનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. નગરીના લોકો રાજભવનમાં આવીને મહારાજાને પુત્ર જન્મની વધાઈ આપવા માંડ્યા હતા. સમગ્ર નગરીમાં આનંદ, હર્ષ અને ઉલ્લાસ છવાયો હતો. મહારાજા મહાસેને પુત્રજન્મની ખુશાલીમાં દાનની સરિતા વહેતી મૂકી દીધી હતી. કારાગારમાંથી કેદીઓને પણ મુક્ત કરી દીધા.
પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ચંદ્રપાન કરવાનો દોહદ થયો હતો. તેમજ તેમનું ચંદ્રના જેવું રૂપ હોવાથી પ્રભુને સૌ ચંદ્રપ્રભ એવા નામથી બોલાવવા લાગ્યા.
- ચંદ્રપ્રભ દિનપ્રતિદિન વધવા લાગ્યા. ચંદ્રપ્રભકુમારે વિવિધ ક્રીડાઓથી પોતાનું બાળપણ પસાર કર્યું અને યૌવનવયને પામ્યા.
દોઢસો ધનુષ ઉન્નત શરીરવાળા ચંદ્રપ્રભકુમારના યૌવનપ્રવેશ પછી માતાપિતાએ એના વિવાહ સુંદર રાજકન્યાઓ સાથે કર્યા પોતાના ભોગ્યકર્મ જાણીને જ ચંદ્રપ્રભકુમારે વિવાહ માટેની અનુમતિ આપી હતી. દીક્ષા લેવામાં ઉત્સુક એવા ચંદ્રપ્રભકુમારે જન્મથી અઢી લાખ પૂર્વ પસાર થયા પછી માતાપિતાની પ્રાર્થનાથી ચોવીશ પૂર્વે યુક્ત એવા સાડા છ લાખ પૂર્વે સુધી રાજ્યનો કારભાર સંભાળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org