________________
८
• શ્રી ચંદ્રપ્રભ સ્વામી
ચંદ્રાનના નામની અતિ સુંદર નગરી.
ચંદ્રાનના નગરી ભરતક્ષેત્રમાં આવેલી સુરમ્ય નગરી. નગરીની શોભા અદ્વિતીય અને અનુપમ. નગરીના લોકો
સુખી અને સંતોષી. આ નગરીમાં મહાસેન નામનો રાજા રાજ
કરે.
મહારાજા મહાસેન પરાક્રમી, ન્યાયી અને ધર્માનુરાગી હતો. તેના રાજકારભારમાં કોઈને કશી ફરિયાદ રહેતી નહોતી. રાજા મહાસેન પ્રજાની પૂરતી સારસંભાળ લેતો હતો. રાજા મહાસેનના રાજ્યસંચાલનમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી.
મહારાજા મહાસેનની રાણી લક્ષ્મણા ગુણી, સંસ્કારી અને સુશીલ સ્વભાવ ધરાવનારી હતી. મહાસેન અને રાણી લક્ષ્મણા વચ્ચે અપૂર્વ પ્રીતિ હતી. બન્નેના દિવસો ખૂબ જ સુખેથી પસાર
થતા હતા.
તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરેલો પઘરાજાનો જીવ વૈજયંત વિમાનમાં તેત્રીસ સાગરોપમ આયુષ્યને પૂર્ણ કરી ત્યાંથી આવીને ચૈત્ર માસની કૃષ્ણ પંચમીના દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતા મહારાણી લક્ષ્મણાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખેથી નિદ્રા માણી રહેલા લક્ષ્મણા દેવીને તીર્થંકર જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતા જોયાં. લક્ષ્મણા રાણી તરત જ જાગૃત થઈ ગઈ અને પોતાને આવેલા ચૌદ મહાસ્વપ્નોની વાત રાજાને કરી. મહારાજા મહાસેને સર્વશ્રેષ્ઠ પુત્રરત્નનો જન્મ થશે તેવું સૂચવ્યું.
દિવસો પસાર થવા લાગ્યા. અનુક્રમે પૌષ માસની કૃષ્ણ દ્વાદશીના દિવસે મહદેવી લક્ષ્મણાએ ચંદ્રના ચિહ્નવાળા ચંદ્રવર્ણી પુત્રરત્નને જન્મ આપ્યો. તે વખતે આસનકંપથી આઠમા અર્હતનો જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org