________________
ચોવીશ તીર્થંકર
લાખ સાધુઓ, ચાર લાખ ને ત્રીસ હજાર સાધ્વીઓ, બે હજાર ને ત્રીસ ચૌદ પૂર્વધર, નવ હજાર અધિજ્ઞાનવાળા, નવ હજાર ને દોઢસો મન:પર્યવ જ્ઞાનીઓ, અગિયાર હજાર કેવળજ્ઞાનીઓ, પંદર હજાર ને ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા, આઠ હજાર ને ચારસો વાદલબ્ધિવાળા, બે લાખ ને સત્તાવન હજાર શ્રાવકો અને ચાર લાખ ને ત્રાણું હજાર શ્રાવિકાઓ - આ પ્રમાણે શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનો વિશાળ પરિવાર થયો.
૭૮
શ્રી સુપાર્શ્વનાથ સ્વામી કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી નવ માસ અને વીશ પૂર્વાંગે ન્યૂન એવા લાખ પૂર્વ ગયા પછી સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં પાંચસો મુનિરાજો સાથે એક માસનું અનસન ગ્રહણ કર્યું. મહિનાના અંતે ફાગણ માસની કૃષ્ણ સપ્તમીના દિવસે શ્રી સુપાર્શ્વનાથ સ્વામી પાંચસો મુનિરાજોની સાથે મોક્ષપદના સ્વામી બન્યા.
શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ કુમારવયમાં પાંચ લાખ પૂર્વ પસાર કર્યા હતા. રાજ્યનો કારભાર વીશ પૂર્વાંગ સહિત ચૌદ લાખ પૂર્વ સંભાળ્યો. દિક્ષા પર્યાયમાં વીશ પૂર્વાંગે ન્યૂન એક લાખ પૂર્વ વ્યતિત કર્યાં.
આ પ્રમાણે શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ વીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું.
શ્રી પદ્મપ્રભુના નિર્વાણ પછી નવ હજાર ક્રોડ સાગરોપમ વીત્યા ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુનો નિવૃણિકાળ થયો.
પ્રભુ મોક્ષ પામ્યા પછી અચ્યુત વગેરે ઈન્દ્રોએ તેમનો તથા અન્ય મુનિજનોનો અગ્નિસંસ્કારપૂર્વક મોક્ષ પર્વનો મોટો મહિમા
કર્યો.
Jain Education International
★
For Private & Personal Use Only
www.jainelibrary.org