________________
શ્રી સુપાર્શ્વનાથ સ્વામી
સુરઅસુરો માનવો તીર્યચજીવો સૌ યથાયોગ્ય સ્થાને આવીને બેસી ગયા.
ઈન્દ્ર પ્રભુની સ્તુતિ ભાવભય હૈયે કરી.
સ્તુતિ પૂરી થયા પછી શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ પ્રથમ દેશના આપી. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ શરીર અને આત્મા વિષેની સમજણ આપી. આત્માનો ધર્મ, આત્માનું સ્વરૂપ સમજાવ્યું. સંસાર પાર, ભવસાગર પાર કરવા માટે ત્યાગ વગર બીજો કોઈ માર્ગ નથી. તે વાત સરળ રીતે સૌને સમજાવી.
પ્રભુની દેશના સાંભળીને અનેક લોકો પ્રતિબોધ પામ્યા. તેમાંથી કેટલાકે દીક્ષા અંગીકાર કરી. કેટલાક શ્રાવકો થયા.
શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને વિદર્ભ વગેરે પંચાણું ગણધર થયા. તેઓએ પ્રભુની વાણીના આધારે દ્વાદશાંગીની રચના કરી. પ્રભુની દેશના પૂરી થયા પછી વિદર્ભ ગણધરે ધર્મદેશના આપવા માંડી. વિદર્ભ ગણધરની દેશના પૂરી થયા પછી સર્વ દેવીદેવતાઓ મનુષ્યો વગેરે પ્રભુને ભાવભય વંદન કરીને પોતપોતાના સ્થાને ગયા.
તે ધર્મતીર્થમાં જન્મ પામનારો, શ્યામ શરીરવાળો, હસ્તીના વાહન ઉપર બેસનારો બે જમણી ભુજામાં નકુલ અને અંકુશ ધરનારો માતંગ નામનો યક્ષ સુપાર્શ્વપ્રભુની પાસે રહેનારો શાસનદેવતા થયો.
તેમજ સુવર્ણ કાંતિવાળી, હસ્તીના વાહન પર બેસનારી સરખી બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્રને ધરનારી તથા બે વામણુજામાં ત્રિશુલ અને અભયને રાખનારી શાંતા નામની યક્ષણી સદા પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી નિરંતર પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
પૃથ્વી પર વિહાર કરતા શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org