________________
૭૬
ચોવીશ તીર્થંકર
જેઠ માસની શુકલ ત્રયોદશીના દિવસે એક હજાર રાજાઓની સાથે પ્રભુ શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ છઠ્ઠ તપની આરાધના કરીને દીક્ષા અંગીકાર કરી. તે વખતે જ શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ બીજે દિવસે પાટલીખંડ નગરમાં મહેન્દ્ર રાજાને ત્યાં પરમ અન્નથી પારણું કર્યું. એ સમયે દેવતાઓએ આવીને ધનની વૃષ્ટિ કરવા માટે પાંચ દિવ્યો પ્રગટ કર્યો. મહેન્દ્રરાજાએ જ્યાં પ્રભુ ઊભા રહ્યા હતા ત્યાં રત્નમય પીઠ કરાવી.
શ્રી સુપાર્શ્વનાથ સ્વામી નવ માસ સુધી પૃથ્વી પર વિહાર કરતા રહ્યા. વિહાર કરતાં કરતાં ફરીને સહસ્ત્રાપ્રવનમાં આવ્યા, ત્યાં છઠ્ઠ તપ કરીને શિરીષ વૃક્ષની નીચે સ્થિર રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે વર્તતા પ્રભુએ ઘાતિકર્મનો નાશ કર્યો. ફાગણ માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠીના દિવસે સુપાર્શ્વ સ્વામીને કેવળજ્ઞાન ઉપલબ્ધ થયું.
તરત જ ઈન્દ્રાદિદેવો ત્યાં આવી પહોંચ્યા. પ્રભુને દેશના દેવા માટે સમવસરણની રચના કરી.
- શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ મોક્ષદ્વારની જેમ સમોવસરણમાં પૂર્વદ્વારેથી તેમાં પ્રવેશ કર્યો ત્યાં પૃથ્વીમાં કલ્પવૃક્ષરૂપ પ્રભુએ ચારચો ધનુષ અધિક એક કોશ ઊંચા એવા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી અને શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ ‘તીય નમઃ' કહીને ઉત્તમ સિંહાસન પર બેઠા.
મહારાણી પૃથ્વીદેવીએ સ્વપ્નમાં જેવો સર્પ દીઠો હતો તેવો સર્પ જાણે બીજું છત્ર હોય તેમ પ્રભુના મસ્તક ઉપર વિકુવ્ય. ત્યાંથી માંડીને તે પ્રભુને બીજા પણ સમવસરણોમાં એક ફણાવાળો, પાંચ ફણાવાળો, નવ ફણાવાળો નાગ થયેલો છે.
પ્રભુના પ્રભાવથી દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પણ પ્રભુના જેવા જ પ્રતિબિંબો વિકુવ્યાં. દેવદેવતાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org