________________
શ્રી સુપાર્શ્વનાથ સ્વામી
સુપાર્શ્વકુમાર.... સૌને નામ ગમ્યું.
ઇન્દ્રે અંગૂઠામાં સંક્રમાવેલ અમૃતનું પાન કરનારા પ્રભુ
વધવા લાગ્યા.
૭૫
સુપાર્શ્વકુમાર બાળક્રિયામાં દિવસો પસાર કરવા લાગ્યા.
બસો ધનુષ ઊંચી કાયાવાળા શ્રી સુપાર્શ્વકુમારે યૌવનવયમાં પ્રવેશ કર્યો. માતા-પિતાના અતિ આગ્રહથી શ્રી સુપાર્શ્વકુમારે રાજપુત્રીઓ સાથે પાણિગ્રહણ કર્યું. ભોગ્યકર્મ ખપાવવા માટે શ્રી સુપાર્શ્વકુમાર રાજપુત્રીઓ સાથે પોતાનો
સમય પસાર કરવા લાગ્યા.
પાંચ લાખ પૂર્વ કૌમાર વયમાં વ્યતીત થયા પછી સુપાર્શ્વકુમારે રાજ્યનો દોરીસંચાર પિતાના અતિ આગ્રહથી સંભાળ્યો.
શ્રી સુપાર્શ્વકુમારે રાજ્યનું સંચાલન વીસ પૂર્વાંગે અધિક એવા ચૌદ લાખ પૂર્વ સુધી કર્યું.
ત્યારબાદ પ્રભુનું મન સંસારથી વિરકત પામ્યું છે તેવું જાણીને લોકાંતિક દેવતાઓ શ્રી સુપાર્શ્વકુમા૨ પાસે આવ્યા અને ધર્મતીર્થને પ્રવર્તાવો'ની વિનંતી કરી.
દીક્ષા ગ્રહણ કરવાની ઉત્કંઠા ધરાવતાં શ્રી સુપાર્શ્વકુમારે એક સંવત્સર સુધી દાનની ધારા વહેવડાવી.
વાર્ષિક દાનના અંતે આસનો ચલિત થવાથી ઇન્દ્રોએ આવીને શ્રી સુપાર્શ્વનાથ સ્વામીનો દીક્ષાભિષેક કર્યો.
ત્યાર પછી મોક્ષગામી શ્રી સુપાર્શ્વનાથ સ્વામી મનોહરા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. સહસ્ત્રામવનમાં સુર, અસુર તથા નરેશ્વરો એકત્રિત થયા. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ ઉપવનમાં આવીને સર્વ આભૂષણોનો ત્યાગ કર્યો અને સ્કંધ ઉપર ઇન્દ્રે આરોપણ કરેલું દેવષ્ય વસ્ત્ર ધારણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org