________________
ચોવીશ તીર્થંકર
ગઈ. રાત્રીને શેષ ભાગે પૃથ્વી રાણીએ તીર્થંકરના જન્મને સૂચવનાર ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતા જોયા. એ ગર્ભ વૃદ્ધિ પામ્યા પછી એમણે એક, પાંચ અને નવ ફણાવાળા નાગની શય્યા પર પોતાના આત્માને સૂતેલો જોયો.
અનુક્રમે જ્યેષ્ઠ માસની શુકલ દ્વાદશીએ વિશાખા નક્ષત્ર : ઉપર આવતાં સ્વસ્તિકના (સાથિયા) ચિહ્નવાળા એક સુવર્ણવર્ણી પુત્રને પૃથ્વીરાણીએ જન્મ આપ્યો.
તરત જ અવધિજ્ઞાનથી અહિતનો જન્મ જાણીને છપ્પન દિકુમારીકાઓએ આવીને સૂતિકાકર્મ કર્યું. તે રીતે શક્રેન્દ્ર પણ ત્યાં આવીને પ્રભુને મેરુ પર્વતના મસ્તક ઉપર રહેલી અતિપાંડુકબલા નામની શિલા ઉપર લઈ ગયો. ત્યાં બાળભાવની જેમ પ્રભુને ખોળામાં રાખીને ઇન્દ્ર રત્નના સિંહાસન પર બેઠો.
ત્યાર પછી ત્રેસઠ ઈન્દ્રોએ તીર્થજળથી પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઈન્દ્રના ખોળામાં પ્રભુને બેસાડીને સ્ફટિકમય વૃષભના શૃંગમાંથી નીકળતી જળધારાથી ધારાયંત્રના જળની જેમ શક્રેન્દ્ર અભિષેક કર્યો. વિલેપન તથા વસ્ત્ર અલંકારદિક વડે પૂજા કરીને પ્રભુની સ્તુતિ કરી. ત્યાર પછી શક્રઈન્દ્ર પ્રભુને સત્વર પૃથ્વી રાણી પાસે મૂકી ગયા. શક્રેન્દ્ર તરત જ પોતાના સ્થાને ચાલ્યો ગયો.
આ તરફ મહારાજા પ્રતિષ્ઠ પુત્રના જન્મોત્સવ ઉજવવાનો પ્રારંભ કર્યો. નગરજનોને કાને સમાચાર મળતાં સૌ રાજભવનમાં આવીને મહારાજાને વધાઈ આપવા લાગ્યા.
ચારે તરફ મંગલમય વાતાવરણ સર્જાઈ ગયું. રાજા પ્રતિષ્ઠને ત્યાં પુત્રનો જન્મ થવાથી સૌ કોઈ હર્ષિત બની ગયા હતા.
પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે રાણી પૃથ્વી સારા પાર્થ (પડખા)વાળા થયા, તેથી પ્રતિષ્ઠ રાજાએ પુત્રનું નામ સુપાર્શ્વ રાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org