________________
: શ્રી સુપાર્શ્વનાથ સ્વામી
વારાણસી નગરી. સુરમ્ય નગરી.
વારાણસી નગરી શોભનીય અને દર્શનીય હોવાથી પરગામના અનેક લોકો નગરી નિહાળવા માટે આવતા રહેતા હતા. વારણસી નગરીના લોકો પરમ સુખી અને સંતોષી હતા. વેપાર-રોજગાર ધમધોકાર ચાલતો હતો.
વારાણસી નગરી પર મહારાજા પ્રતિષ્ઠનું શાસન હતું. રાજા પ્રતિષ્ઠ ન્યાયી, ધર્મવાન અને દયાળુ હોવાથી નગરજનોમાં ઘણો પ્રિય થઈ પડ્યો હતો. રાજા પ્રતિષ્ઠ પ્રજાવત્સલ રાજવી હતો. પ્રજાના સુખદુઃખમાં પૂરતો રસ લઈને રાજ્યનો કારભાર ચલાવતો હતો.
રાજા પ્રતિષ્ઠને પૃથ્વી નામની રાણી હતી.
પૃથ્વી રાણી ગુણી, સુશીલ અને સદાચારિણી હતી. પૃથ્વી રાણી અનિરૂપ ધરાવતી હતી.
રાજા અને રાણી વચ્ચે અપૂર્વ પ્રીતિ હતી. બન્નેના દિવસો સુખેથી પસાર થતા હતા.
આ તરફ રાજા નંદિણનો જીવ છઠ્ઠા ગ્રેવેકયમાં રહ્યો ત્યાં એણે પોતાનું અઠ્યાવીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કર્યું. ત્યાંથી ચ્યવને કૃષ્ણ અષ્ટમીના દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં તે પૃથ્વીની કુક્ષીમાં અવતર્યો.
નીરવ અને શાંત રાત્રી હતી.
પૃથ્વી રાણી શયનકક્ષમાં વિશાળ શય્યામાં મીઠી મધુર નિદ્રા માણી રહી હતી. વાતાયનમાંથી મધુર મંદ મંદ સમીર વહી રહ્યો હતો.
રાત્રીનો ચતુર્થ પ્રહર શરૂ થયો. એક ઘટિકા પસાર થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org