________________
ચોવીશ તીર્થંકર
ત્યાર પછી પોતાનો મોક્ષકાળ સમીપ જાણીને પદ્મપ્રભુ સ્વામી સમેતશિખર પર્વતે આવ્યા, ત્યાં માસિક અનશન ધારણ કર્યું.
૭૨
માગસર માસની કૃષ્ણ એકાદશીના દિવસે શ્રી પદ્મપ્રભુ સ્વામી અઘાતિ ચતુષ્કર્મને ખપાવીને તથા અનંત ચતુષ્ટયને સિદ્ધ કરીને ત્રણસો ને આઠ અનશન વ્રતવાળા મુનિઓની સાથે ચતુર્થ શુકલ ધ્યાન વડે ચોથા પુરુષાર્થ સમા મોક્ષપદના અધિકારી
બન્યા.
શ્રી પદ્મપ્રભુ સ્વામીએ સાડાસાત લાખ ને સોળ પૂર્વાંગ કૌમાર વયમાં પસાર કર્યા હતા.
સાડા એકવીશ લાખ પૂર્વ રાજ્યને કારભાર ચલાવવામાં પ્રભુએ પસાર કર્યાં તથા સોળ પૂર્વાંગે ન્યૂન એક લાખ પૂર્વ વ્રતમાં એમ બધા મળીને ત્રીશ લાખ પૂર્વનું શ્રી પદ્મપ્રભુ સ્વામીનું આયુષ્ય હતું.
શ્રી સુમતિનાથ સ્વામીના નિર્વાણ પછી નેવું હજાર કોટી સાગરોપમ ગયા પછી શ્રી પદ્મપ્રભુ સ્વામી મોક્ષપદને પામ્યા.
શ્રી પદ્મપ્રભુ સ્વામી મોક્ષપદના સ્વામી થયા પછી ભક્તિવાળા ચોસઠ ઇન્દ્રોએ આવીને પ્રભુના અને બીજા મુનિઓના પાર્થિવ દેહોનો ઉચ્ચ પ્રકારે સંસ્કાર કર્યો અને નિર્વાણ કલ્યાણકનો મોટો ઉત્સવ કર્યો.
Jain Education International
★★
For Private & Personal Use Only
www.jainelibrary.org