________________
શ્રી પ્રભુ સ્વામી
૭૧
ગણધરો થયા. તેઓએ પ્રભુ પાસેથી ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના કરી.
પ્રભુની દેશના પૂરી થયા બાદ સુવ્રત ગણધરે દેશના આપી.
સુવ્રત ગણધરની દેશના પૂરી થયા બાદ સર્વ દેવતાઓ અને મનુષ્યો શ્રી પપ્રભુ સ્વામીને ભાવભય વંદન કરીને પોતપોતાના સ્થાને વિદાય થયા.
તે વખતે નીલ અંગવાળો, મૃગનાં વાહનવાળો, પોતાની બે દક્ષિણ ભૂજામાં સફળ અને અભયને ધારણ કરનારો અને બે વામભૂજામાં નકુલ અને અક્ષસૂત્રને રાખનારો કુસુમ નામનો યક્ષ એ તીર્થનો અધિષ્ઠાતા થયો. કુસુમ યક્ષ હંમેશા પ્રભુની પાસે રહેનાર હોવાથી શાસનદેવતા કહેવાયો.
એ રીતે શ્યામ અંગવાળી, પુરુષના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા બાણને ધરનારી અને બે વામ ભૂજામાં કામુક તથા અભયને રાખનારી અય્યતા નામે યક્ષણી પ્રભુની શાસનદેવી. થઈ.
શ્રી પવપ્રભુએ ગામ, નગર વગેરેમાં વિહાર કરવા માંડ્યો અને સુમધુર વાણી દ્વારા અનેક જીવોને પ્રતિબોધવા લાગ્યાં.
શ્રી પડાપ્રભુને ત્રણ લાખ અને ત્રીસ હજાર સાધુઓ થયા. ચાર લાખ અને વીસ હજાર સાધ્વીઓ થઈ. બે હજાર અને બસો ચૌદ પૂર્વધારી થયા. દશ હજાર અવધિજ્ઞાની થયા, દશ હજાર ને ત્રણસો મન:પર્યવ જ્ઞાની થયા. બાર હજાર કેવળજ્ઞાની થયા. સોળ હજાર એકસો ને આઠ વૈક્રિય લબ્ધિવાળા થયા. નવહજાર ને છસો વાદ લબ્ધિધારી થયા. બે લાખ ને છોતેર હજાર શ્રાવકો થયા, પાંચ લાખ અને પાંચ હજાર શ્રાવિકાઓ થઈ. આટલો પરિવાર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી છ માસ અને સોળ પૂવગે ઊણ એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કરતાં થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org