SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ O ચોવીશ તીર્થંકર બીજે દિવસે પદ્મપ્રભુએ બ્રહ્મસ્થળ નગરમાં સોમદેવ રાજાને ત્યાં અન્નથી પારણું ગ્રહણ કર્યું ત્યાં દેવતાઓએ પાંચ અદ્ભુત દિવ્ય પ્રગટ કર્યા અને સોમદેવ રાજાએ જ્યાં પપ્રભુ ઊભા રહ્યા હતા ત્યાં એક રત્નપીઠની રચના કરી. ત્યાર પછી શ્રી પદ્મપ્રભુ સ્વામી છ માસ સુધી છદ્મસ્થપણામાં વિહાર કરી અને જ્યાં પ્રવજ્યા ગ્રહણ કરી હતી તે સહસ્ત્રાપ્ર વનમાં પધાયાં. ત્યાં છઠ્ઠનું તપ કરીને કાયોત્સર્ગ ધ્યાન વડના વૃક્ષ નીચે ઊભા રહ્યા, ત્યારે પ્રભુના ઘાતિક ક્ષય પામ્યા અને તરત જ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રી પદ્મપ્રભુ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સૂર. અસુરોએ ત્યાં આવીને સમોવસરણ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારેથી, પ્રવેશ કર્યો. દોઢ કોસ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી અને ‘તીથયિ નમઃ' એમ ઉચ્ચ સ્વરે ઉચ્ચારણ કરીને રત્ન સિંહાસન પર પૂર્વમુખે બિરાજમાન થયા. પ્રભુના પ્રભાવથી દેવતાઓએ તેમના જેવા જ પ્રતિબિંબો વિકુર્તીને બીજી ત્રણેય દિશાઓમાં સ્થાપન કર્યા. દેવદેવતાઓ, સુર, અસુરો તથા માનવો, તિર્યંચો વગેરે યથાસ્થાને બેસી ગયા. ઇન્દ્ર શ્રી પદ્મપ્રભુ સ્વામીને વંદન કરીને સ્તુતિ કરવા લાગ્યો. ઇન્દ્ર સ્તુતિ પૂરી કરી પછી શ્રી પવપ્રભુએ દેશના આપવાનો આરંભ કર્યો. પ્રભુએ રસઝરતી મધુર વાણીમાં સંસારની અસારતાનો સર્વને પરિચય કરાવ્યો. સંસારનું સ્વરૂપ સમજાવ્યું અને મુક્તિપંથ પ્રાપ્ત કરવા માટે સંસારની મોહજાળમાંથી મુક્ત થવાની વાત દોહરાવી. સર્વ ત્યાગ વગર મુક્તિ મળવી કઠિન છે. એ વાત શ્રી પડાપ્રભુ સ્વામીએ સર્વ જીવોને સમજાવી. શ્રી પડાપ્રભુ સ્વામીની દેશના સાંભળીને હજારો મનુષ્યો પ્રતિબોધ પામ્યા. એમાંથી અનેક લોકોએ પ્રવજ્યાનો માર્ગ સ્વીકાર્યો. અનેક લોકોએ સમક્તિનો સ્વીકાર કર્યો. શ્રી પદ્મપ્રભુ સ્વામીને સુવ્રત સહિત એકસો ને સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy