________________
શ્રી શીતલનાથ સ્વામી
આ પ્રસંગે આઠ અધોલોકવાસી, આઠ ઉર્ધ્વલોકવાસી, આઠ આઠ રૂચક દ્વીપમાં ચારેય દિશાઓના પર્વતો ૫૨ રહેનારી, ચાર વિદિશાના પર્વત પર રહેનારી અને ચાર રૂચક દ્વીપની મધ્યે રહેનારી મળીને છપ્પન દિકુમારીઓ આસન ચલિત થવાથી ત્યાં આવી અને માતા તથા પુત્રનું સૂતિકર્મ કર્યું.
ત્યારબાદ દેવતાઓ સાથે શક્રેન્દ્ર તરત જ ત્યાં આવ્યો અને પ્રભુને લઈને મેરૂ પર્વતના શિખરે ગયો. ત્યાં પ્રભુને ઉત્સંગમાં લઈ અતિપાંડુકબલા નામની શિલા ઉપર રત્નમય સિંહાસન પર તે બેઠો. એ પછી અચ્યુતાદિક ઇન્દ્રોએ સમુદ્રો, નદીઓ અને દ્રહોમાંથી મંગાવેલા જળ વડે પ્રભુને અભિષેક કર્યો. ત્યારપછી શક્રેન્દ્રે ઈશાન ઇન્દ્રના ખોળામાં પ્રભુને સ્થાપીને પોતે વિકુર્વેલા સ્ફટિકમય ચાર વષભોના શંગમાંથી નીકળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું અને દિવ્ય અંગરાગ તથા આભૂષણાદિકથી પ્રભુને અર્ચિત કરીને સ્તુતિ કરવા લાગ્યો.
૯૧
શક્રેન્દ્રે ભાવભર્યા હૈયે દશમા તીર્થંકર ભગવંતની સ્તુતિ કરી. સ્તુતિ પૂરી થયા બાદ શક્રેઇન્દ્ર પ્રભુને લઈને નંદા દેવી પાસે જેમ હતા તેમ મૂક્યા. પ્રાતઃકાળે પ્રભુના જન્મથી હર્ષિત થયેલા રાજા દૃઢરથે કેદીઓને કારાગૃહમાંથી મુકત કર્યા અને પુત્રના જન્મનો મોટો ઉત્સવ રચ્યો.
પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું અંગ નંદાદેવીના સ્પર્શથી શીતળ થઈ ગયું હતું તેથી દૃઢરથ રાજાએ પ્રભુનું નામ શીતલ પાડ્યું. શીતલકુમા૨નું
બાળપણ ક્રીડા, રમતગમતમાં તેમજ અભ્યાસમાં પસાર થયું. અનુક્રમે પ્રભુ શિશુવય ઉલ્લંઘન કરીને યૌવનવયમાં પ્રવેશ્યા.
શીતલકુમારે માતાપિતાની પ્રાર્થનાથી કુલીન કન્યા સાથે પાણિગ્રહણ કર્યું. શીતલકુમારનું નેવું ધનુષ ઊંચુ શરીર સુંદર રીતે શોભતું હતું.
પચ્ચીસ હજાર પૂર્વની વય થયા પછી પિતાના આગ્રહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org