SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થકર શીતલકુમારે રાજ્યનો કારભાર સંભાળ્યો. શીતલકુમારે પચાસ હજાર પૂર્વ રાજ્યનું વિધિથી પાલન કર્યું. પછી પ્રભુનું મન સંસારથી વિરકત થયું એટલે તત્કાળ લોકાંતિક દેવતાઓના આસનો ચલાયમાન થયા. તેઓએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે “જબૂદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધની અંદર દશમા તીર્થંકર ઉત્પન્ન થયેલા છે. તેઓ પ્રવજ્યા ગ્રહણ કરવા ઉત્સુક બન્યા છે. તેથી ત્યાં જઈને એમને એ કાર્યમાં પ્રેરણારૂપ બનીએ.' આવું વિચારીને સારસ્વતાદિક દેવતાઓ બ્રહ્મલોકમાંથી ત્યાં આવીને પ્રભુને નમન કર્યા અને વિનંતી કરવા લાગ્યા : હે નાથ, આ દુસ્તર, સંસારમાં તીર્થનો અભાવ થયેલો છે તેથી જગત ઉપર કૃપા કરીને ધર્મતીર્થને પ્રવર્તાવો.' આટલું કહીને દેવતાઓ પોતાના સ્થાને જવા વિદાય થયા. - ત્યારબાદ શીતલનાથ પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનું શરૂ કર્યું. એક વર્ષ સુધી દાનની સરિતા વહેતી રહી. વાર્ષિક દાનના અંતે ઈન્દ્રના આસનો ચલિત થયા એટલે ઇન્દ્રાદિ દેવોએ ત્યાં આવીને શીતલનાથ સ્વામીનો દિક્ષાકલ્યાણક સંબંધી સ્નાત્ર મહોત્સવ કર્યો. પછી પ્રભુએ અંગરાગ અને વસ્ત્રાભૂષણ ધારણ કર્યા. એક ઇન્દ્ર પ્રભુને ટેકો આપ્યો. બીજા ઇન્દ્રોએ તેમની ઉપર ચામરાદિ ધારણ કર્યો. પછી શીતલનાથ સ્વામી ચંદ્રપ્રભા નામના શિબિકા રત્ન પર બિરાજમાન થયા. હજારો સુર-અસુરો અને મનુષ્યોના પરિવાર સાથે પ્રભુ પોતાના નગરની બહાર આવેલા ઉદ્યાન સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં આવીને પ્રભુએ સર્વ આભૂષણોનો ત્યાગ કર્યો. ઇન્દ્ર નાખેલા દેવદૂષ્ય વસ્ત્રને ખભા પર ધારણ કરતા પ્રભુએ પ્રથમ પાંચમુષ્ટિ વડે કેશનો લોચ કર્યો. તે કેશને ક્ષીરસમુદ્રમાં નાખી આવીને ઇન્દ્ર સર્વ કોલાહલનો નિષેધ કર્યો. માઘ માસની કૃષ્ણ દ્વાદશીના પાછલા પ્રહરે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં છ9તપ જેમણે કર્યો છે એવા શીતલનાથ પ્રભુએ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy