________________
શ્રી શીતલનાથ સ્વામી
૯૩
હજાર રાજાઓની સાથે સુર, અસુર અને રાજાઓની સમક્ષ સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કર્યું. અથતિ પ્રવજ્યા અંગીકાર કરી. તે જ વખતે પ્રભુને મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું અને દેવતાઓ વગેરે બધા પ્રભુને નમન કરીને પોતપોતાના સ્થાને વિદાય થયા.
પછી બીજે દિવસે રિષ્ટ નગરમાં પુનર્વસુ રાજાને ત્યાં શ્રી શીતલનાથ સ્વામીએ પરમ અન્નથી પારણું કર્યું.
ત્યાં દેવતાઓએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યો અને પુનર્વસુ રાજાએ જ્યાં શ્રી શીતલનાથ સ્વામી ઊભા રહ્યા હતા ત્યાં સુવર્ણ રત્નમય પીઠ રચાવી. પછી શ્રી શીતલનાથ સ્વામી વિવિધ અભિગ્રહને ધારણ કરતા અને પરિષહોને સહન કરતાં છઘસ્થપણે ત્રણ માસ પર્યત વિહાર કરી સહસ્ત્રાપ્રવનમાં ફરીવાર આવ્યા, ત્યાં પ્રભુ પીપળાના વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાને રહ્યાં. શ્રી. શીતલનાથ સ્વામીએ શુકલ ધ્યાનના બીજા પાયા ઉપર ચડીને ઘાતિકર્મનો નાશ કર્યો.
તરત જ પોષ માસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતા શ્રી શીતલનાથ સ્વામીને કેવળજ્ઞાન ઉપલબ્ધ
થયું.
સુર-અસુરોએ સહસ્ત્રાપ્રવનમાં આવીને ચાર ચાર દ્વારવાળા સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવાળું સમોસરણ રચ્યું. તેમાં શ્રી શીતલનાથ પ્રભુએ પૂર્વ દ્વારેથી પ્રવેશ કર્યો અને મધ્યમાં રહેલા એક હજાર અને એંશી ધનુષ ઊંચા ચૈત્યવક્ષની પ્રદક્ષિણા કરી. અને તીથય નમઃ એવો ઉચ્ચાર કરીને રત્ન સિંહાસન પર પૂર્વ મુખે બિરાજમાન થયા.
દેવતાઓએ તેમના જેવા જ ત્રણ પ્રતિબિંબો વિદુર્વી બીજી ત્રણ દિશાઓમાં સ્થાપન કર્યા. પછી દેવ, દેવતા, મનુષ્ય, તિર્યંચ જીવો વગેરે પ્રભુની દેશના શ્રવણ કરવાની ઉત્કંઠા સાથે યોગ્ય સ્થાને બેઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org