SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર આ સમયે સૌધર્મ કલ્પનો ઇન્દ્ર આગળ આવ્યો અને એણે શ્રી શીતલનાથ સ્વામીને ભાવભર્યા વંદન કર્યા અને ભક્તિથી સ્તુતિ કરી. ઈન્દ્રની સ્તુતિ પૂરી થયા પછી શ્રી શીતલનાથ પ્રભુએ અમૃતના જેવી મધુર વાણીથી ધમદિશના આપવા માંડી. શ્રી શીતલનાથ સ્વામીએ દેશનામાં જણાવ્યું કે આ સંસારમાં સર્વ પદાદિ વિવિધ જાતના દુઃખના કારણ અને ક્ષણિક છે. તેથી દરેક જીવે મોક્ષને માટે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી શીતલનાથ સ્વામીએ મોક્ષ પ્રાપ્તિ માટે કઈ રીતે પ્રયત્નશીલ થવું જોઈએ તે વાત કરી. શ્રી શીતલનાથ પ્રભુની દેશના સાંભળીને અનેક જીવો પ્રતિબોધ પામ્યા. અનેક લોકોએ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. અનેક લોકોએ શ્રાવકપણું ગ્રહણ કર્યું. શ્રી શીતલનાથ પ્રભુના આનંદ વગેરે એક્યાશી ગણધરો થયા. પ્રભુની ધર્મદિશના પૂરી થયા પછી આનંદ ગણધરે ધર્મદિશના આપી. આનંદ ગણધરની ધર્મદિશના પૂરી થયા બાદ સુર, અસુર તથા નરેશ્વરો પ્રભુને વંદન કરીને પોતપોતાને સ્થાને ગયા. આ સમયે ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળો, પદ્મના આસન પર બેસનારો, શ્વેતવર્ણવાળો, પોતાની ચાર જમણી ભૂજામાં બીજોરું, મુદ્ગર, સંપાદ અને અભયને ધારણ કરનારા અને ચાર ડાબી ભૂજામાં નકુલ, ગદા, ચાલક તથા અક્ષરસૂત્રને ધરનારો બ્રહ્મ નામે યક્ષ શાસનદેવ થયો. જ્યારે મગ જેવા નીલ વર્ણવાળી, મેઘના વાહનવાળી, બે દક્ષિણ ભૂજામાં વરદ અને પાસને ધરનારી અને વામ ભૂજામાં ફળ અને અંકુશને રાખનારી અશોકા નામે દેવી દશમા તીર્થંકર શ્રી શીતલનાથ સ્વામીની શાસનદેવી થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy