________________
શ્રી શીતલનાથ સ્વામી
૯૫
બંને શાસનદેવતા નિરંતર શ્રી શીતલનાથ પ્રભુની સેવામાં રહેવા લાગ્યા અને ઉપાસના કરતાં રહ્યાં.
શ્રી શીતલનાથ સ્વામીએ ત્રણ માસે ઊણા પચ્ચીસ હજાર પૂર્વ સુધી વિહાર કર્યો. એક લાખ મુનિરાજો, એક લાખ અને છ હજાર સાધ્વીઓ, ચૌદસો ચૌદ પૂર્વધારી, સાત હજાર અને બસો અવધિજ્ઞાની, સાડા સાત હજાર મન:પર્યવધારી, સાત હજાર કેવળજ્ઞાની, બાર હજાર વૈક્રિય લબ્ધિવાળા, પાંચ હજાર અને આઠસો વાદ લબ્ધિવાળા, બે લાખ નેવાશી હજાર શ્રાવકો તથા ચાર લાખ ને અઠ્ઠાવન હજાર શ્રાવિકાઓ આ પ્રમાણે શ્રી શીતલનાથ પ્રભુનો પૃથ્વી પર વિહાર કરતાં પરિવાર થયો.
શ્રી શીતલનાથ સ્વામી મોક્ષ પ્રાપ્તિનો કાળ જાણી લેતાં સમેતશિખર પર્વત પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે પ્રભુએ એક માસનું અનસન કર્યું. અંતે વૈશાખ માસની કૃષ્ણ બીજના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્ર આવતા શ્રી શીતલનાથ પ્રભુ એક હજાર મુનિરાજોની સાથે મોક્ષપદના સ્વામી બન્યા.
શ્રી શીતલનાથ સ્વામીએ કુમાર વયમાં પચ્ચીસ હજાર પૂર્વ, પૃથ્વીને પાળવામાં પચાસ હજાર પૂર્વ અને દીક્ષા પર્યાયમાં પચ્ચીસ હજાર પૂર્વ-એ પ્રમાણે એકંદર શ્રી શીતલનાથ સ્વામીએ એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું.
- શ્રી સુવિધિનાથ સ્વામીના નિર્વાણ પછી નવકોટી સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી શીતલનાથ સ્વામી નિવણ પામ્યા.
હજાર મુનિઓની સાથે શ્રી શીતલનાથ પ્રભુ મોક્ષ પામ્યા પછી અય્યત વગેરે ઇન્દ્રોએ યથાયોગ્ય તેમનો તથા બીજા મુનિજનોનો નિવણિગમનનો મહિમા કર્યો અને ત્યારપછી બધા. દેવતાઓ પોત-પોતાને સ્થાને ચાલ્યા ગયા.
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org