________________
: શ્રી શ્રેયાંસનાથ સ્વામી
જંબુદ્રીપમાં ભરતક્ષેત્રનું આભૂષણ સમું સુંદર, સોહામણું નગર એટલે સિંહપુર નગર.
૧૧
સિંહપુર નગરમાં મંદિરોની રચના અદ્ભુત હતી. રત્નમય દીવાલોથી મંદિરોની શોભામાં અભિવૃદ્ધિ થતી હતી. સિંહપુર નગરની બજારો વિશાળ અને સુવ્યવસ્થિત હતી. નગરની પ્રજા સુખી અને સમૃદ્ધ હતી.
સિંહપુર નગરમાં વિષ્ણુરાજ નામનો રાજા રાજ્યનું સંચાલન કરતો હતો. મહારાજા વિષ્ણુરાજ પરાક્રમી, આરોગ્યનિષ્ઠ તથા ધર્મપારાયણ હતો.
મહારાજા વિષ્ણુરાજને વિષ્ણુ નામની સુંદર રાણી હતી. મહારાજાની પ્રિય રાણી હતી.
મહારાજા વિષ્ણુરાજ અને રાણી વિષ્ણુના દિવસો સુખેથી નિર્ગમન થતા હતા.
એક દિવસ મહાશુક્ર દેવલોકમાંથી લિનગુલ્મ રાજાનો જીવ પોતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરીને જેઠ માસની કૃષ્ણ ષષ્ટીએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા ત્યાંથી ચ્યવીને વિષ્ણુદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે નારકી જીવોને પણ સુખ થયું.
ત્રણ જગતમાં ઉદ્યોત થયો.
તીર્થંકરોના દરેક કલ્યાણકોમાં એક ક્ષણ એવું થાય છે. તે વખતે મહાદેવી વિષ્ણુદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતાં જોયાં.
પ્રથમ સ્વપ્નમાં જાણે સંક્ષેપેલો વૈતાઢય પર્વત હોય તેવો શ્વેતવર્ણી હસ્તી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org