________________
શ્રી શ્રેયાંસનાથ સ્વામી
બીજા સ્વપ્નમાં મત્સ્ય સહિત શરદઋતુનો મેઘ હોય તેવો ઊંચા શૃંગવાળો શ્વેત ઋષભ.
ત્રીજા સ્વપ્નમાં કેસરી સિંહ,
ચોથા સ્વપ્નમાં પોતાની મૂર્તિ હોય તેવી અભિષેક થતી
લક્ષ્મીદેવી.
પાંચમા સ્વપ્નમાં સુગંધી પુષ્પમાલા.
છઠ્ઠા સ્વપ્નમાં અમૃતનો કુંડ હોય તેવો જ્યોત્સના સહિત પૂર્ણિમાનો ચંદ્ર.
સાતમા સ્વપ્નમાં દૈદિપ્યમાન સૂર્યમંડળ.
જ્યારે આઠમા સ્વપ્નમાં શાખાઓ યુકત વૃક્ષ હોય તેવો ચપળ પતાકાવાળો ધ્વજ.
02
નવમા સ્વપ્નમાં કલ્યાણના ભંડાર સમો પૂર્ણ કુંભ. દસમા સ્વપ્નમાં પદ્મ સરોવર.
અગિયારમા સ્વપ્નમાં ઊછળતાં મોજાંવાળો સમુદ્ર. બારમા સ્વપ્નમાં રત્નમય વિમાન.
તેરમા સ્વપ્નમાં રત્નાકરનું સર્વસ્વ હોય તેવો રત્નપુંજ. જ્યારે ચૌદમા સ્વપ્નમાં મોટા મંડલને હરનાર નિર્ધમ
અગ્નિ.
આ પ્રમાણે ચૌદ મહા સ્વપ્નોને મુખમાં પ્રવેશતા રાણી વિષ્ણુદેવીએ જોયાં.
અને ભાદ્રપદ માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે શ્રવણ નક્ષત્રમાં વિષ્ણુદેવીએ ગેંડાના ચિન્હવાળા સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો. તે વખતે આસનકંપ થવાથી છપ્પન દિકુમારીઓ તરત જ ત્યાં આવી અને માતા તથા પુત્રનું સૂતિકાકર્મ કર્યું.
ત્યારબાદ ઇન્દ્રે અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મને જાણીને ત્યાં આવી સૂતિકાગૃહની પ્રદક્ષિણા કરી, પછી સૂતિકાગૃહમાં પ્રવેશ કરીને અહંતને તથા માતાને નમસ્કાર કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org