SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર ઇન્દ્રે માતાને અવસ્વાપિની નિદ્રા આપી તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ મૂકી ઇન્દ્રે પોતાના પાંચ રૂપો વિકુર્યા. એક રૂપે પ્રભુને ધારણ કરી, બીજે રૂપે માથે છત્ર ધર્યું, બે બાજુ ચામર ધારણ કર્યા અને એક રૂપે વજ્ર લઈને પ્રભુની આગળ ચાલ્યો. ક્ષણવારમાં ઇન્દ્ર પ્રભુને લઈને મેરૂ પર્વત ઉપર અતિપાંડુકબલા શિલા પર આવ્યો. ત્યાં ઉત્સંગમાં પ્રભુને રાખીને ઇન્દ્ર સિંહાસન પર બેઠા. ૯૮ ત્યાર પછી અચ્યુત વગેરે નવ કલ્પેદ્રો, ચમર વગેરે વીશ ભવનપતિના ઇન્દ્રો, કાલ વગેરે બત્રીશ વ્યંતરોના ઇન્દ્રો અને સૂર્ય તથા ચંદ્ર એ બે જ્યોતિષ્કના ઇન્દ્રો સર્વ મળીને ત્રેસઠ ઇન્દ્રો પ્રભુના જન્મસ્નાત્ર મહોત્સવ કરવા અર્થે ત્યાં આવી પહોંચ્યા. તેમની આજ્ઞાથી તરત જ આભિયોગિક દેવતાઓએ પૂર્ણકુંભ વગેરે ઉપકરણો વિકુર્યા પછી અચ્યુતાકિદ સર્વ ઇન્દ્રો અનુક્રમે પવિત્ર તીર્થોદક વડે પ્રભુને સ્નાત્ર કર્યું. પછી ઈશાનપતિના ઉત્સંગમાં પ્રભુને બેસાડીને શક્રઇન્દ્રે ચારેય દિશાઓમાં સ્ફટિકના ચાર વૃષભ વિકુર્યાં. તેઓના શંગમાંથી ઉજ્જ્વળ જળધારા વડે શક્રઇન્દ્રે પ્રભુને સ્નાન કરાવ્યું. ત્યારબાદ શક્રઇન્દ્રે ચંદનાદિક વડે પ્રભુનું અર્ચન કરી આરતી ઉતારીને ભાવભરી સ્તુતિ કરી. સ્તુતિ પૂરી થયા બાદ ઇન્દ્રે પ્રભુને લઈને માતાની પાસે આવ્યો, પ્રભુને માતાની પાસે મૂકી માતા પાસે રાખેલ પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્વાપિની નિદ્રા હરી લીધી. ત્યાર પછી પ્રભુને વંદન કરીને ઈન્દ્ર પોતાના સ્થાને જવા વિદાય થયો. · પ્રાતઃકાળે પુત્રજન્મના સમાચાર જાણીને મહારાજા વિષ્ણુરાજના આનંદની કોઈ સીમા ન રહી, તરત જ નગરીમાં મહા ઉત્સવ આરંભ્યો. નગરીના લોકો રાજભવનમાં આવીને વધાઈ આપવા લાગ્યા. માતાપિતાએ શ્રેયકારી દિવસે મોટો ઉત્સવ રચીને પુત્રનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy