________________
શ્રી શ્રેયાંસનાથ સ્વામી
નામ શ્રેયાંસ પાડવું.
શ્રેયાંસકુમારનો શૈશવકાળ ક્રીડામાં પસાર થયો.
શ્રેયાંસકુમાર શિશુવયમાંથી પસાર થઈને યૌવનવય પર આરૂઢ થયા. પ્રભુની કાયા એશી ધનુષ ઊંચી થઈ.
શ્રેયાંસકુમારના હૈયામાં સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો પરંતુ પિતાના આગ્રહને કારણે એમણે અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું
અને જન્મથી વિશ લાખ વર્ષો ગયા પછી પિતાની પ્રાર્થનાથી શ્રેયાંસકુમારે રાજ્યનો કારભાર સંભાળ્યો.
શ્રેયાંસકુમારે બેતાલીશ લાખ વર્ષો સુધી ભૂમંડલપર શાસન કર્યું. જ્યારે શ્રેયાંસકુમાર સંસારથી વિરકત થઈને દીક્ષા ગ્રહણ કરવા માટે ઉત્સુક થયા ત્યારે લોકાંતિક દેવતાઓએ આવીને પ્રેરણાના પાન કરાવ્યા.
અને તે દિવસથી ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંભક દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે શ્રી શ્રેયાંસનાથ પ્રભુએ વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. એક વર્ષ પૂરું થયા પછી ઇન્દ્રાદિદેવોએ પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. ઈન્દ્રાદિ દેવો સાથે શ્રી શ્રેયાંસનાથ સ્વામી વિમલપ્રભા નામની શિબિકા પર બેસીને સુરનરોથી પરવરેલા સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા.
- શ્રી શ્રેયાંસનાથ સ્વામી વિમલપ્રભા શિબિકામાંથી ઊતરીને આભૂષણ અલંકારોનો ત્યાગ કર્યો. અને ઇન્દ્ર આપેલું દેવષ્ય વસ્ત્ર સ્કંધ પર ધારણ કર્યું.
ફાગણ માસની કૃષ્ણ ત્રયોદશીના દિવસે પૂવત્વિકાળે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં છઠ્ઠનું તપ કરીને શ્રી શ્રેયાંસનાથ સ્વામીએ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. પ્રભુના કેશ પોતાના ઉત્તરીય વસ્ત્રનાં છેડામાં લઈ શક્રઇન્દ્ર ક્ષીર સમુદ્રમાં લેપન કર્યો.
- શ્રી શ્રેયાંસનાથ સ્વામીએ પ્રવજ્યા અંગીકાર કરી. એમને તરત જ ચોથું મન:પર્યવ જ્ઞાન ઉપલબ્ધ થયું. પ્રભુની સાથે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org