________________
શ્રી સુમતિનાથ સ્વામી
'
૬૭
ઘણા કાળ પર્વત પૃથ્વી પર વિહાર કરતાં સુમતિનાથ પ્રભુને ત્રણ લાખ ને વીસ હજાર સાધુ, પાંચ લાખ ને ત્રીસ હજાર સાધ્વી, બે હજાર ચારસો ચૌદ પૂર્વી, અગિયાર હજાર અવધિજ્ઞાની, દશ હજાર ને સાડા ચારસો મન:પર્યવજ્ઞાની, તેર હજાર કેવળજ્ઞાની, અઢાર હજાર ને ચારસો વૈક્રિય લબ્ધિવાળા, દસ હજાર ને સાડાચારસો વાદ લબ્ધિવાળા, બે લાખ અને એક્યાસી હજાર શ્રાવક તથા પાંચ લાખ ને સોળ હજાર શ્રાવિકાનો પરિવાર થયો.
કેવળજ્ઞાનની પ્રાપ્તિથી આરંભીને શ્રી સુમતિનાથ પ્રભુએ વીસ વર્ષ અને બાર પૂવગે ઊણા એક લાખ પૂર્વ પૃથ્વી પર વિહાર કર્યો.
અનુક્રમે મોક્ષકાળનો સમય નજીક જાણીને પ્રભુ સમેત શિખર પર્વતે આવ્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન ગ્રહણ કર્યું.
એક માસના અંતે ભવોપગ્રાહી ચાર અધાતિકમને ખપાવીને અનંત ચતુષ્કને પ્રાપ્ત કરી, શૈલેષી ધ્યાનમાં વર્તતા ચૈત્ર માસની શુકલ નવમીના દિવસે એક હજાર મુનિરાજોની સાથે શ્રી સુમતિનાથ સ્વામી મોક્ષપદના અધિકારી બન્યા.
- શ્રી સુમતિનાથ પ્રભુએ દશ લાખ પૂર્વ કૌમાર અવસ્થામાં, ઓગણત્રીસ લાખ ને બાર પૂવગ રાજ્યાવસ્થામાં અને બાર પૂવગે ઊણા લાખ પૂર્વ વ્રતધારણમાં પસાર કર્યા
શ્રી સુમતિનાથ સ્વામીએ ચાળીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી અભિનંદન સ્વામીના નિર્વાણ પછી નવ લાખ ક્રોડ સાગરોપમ ગયા પછી સુમતિનાથ પ્રભુ મોક્ષે ગયા. પછી સર્વ ઈન્દ્રાદિકદેવોએ પ્રભુના શરીરને અને બીજા સહસ્ત્ર મુનિરાજોના દેહને વિધિથી અગ્નિસંસ્કાર કરી ત્યાંથી નંદીશ્વર દ્વીપે જઈ ને પ્રભુના નિવણપર્વનો મહોત્સવ કરીને પોતપોતાના સ્થાને વિદાય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org