________________
ચોવીશ તીર્થંકર
સિંહાસન પર બિરાજ્યા એટલે દેવતાઓએ ત્રણ દિશાઓમાં પ્રભુના પ્રતિબિંબો સ્થાપિત કર્યાં. સુર, અસુર અને મનુષ્યો સહિત સૌ યોગ્ય સ્થાને બેઠા.
ઇન્દ્રે પ્રભુ શ્રી સુમતિનાથને ભાવભરી વંદના કરીને સ્તુતિ
ગાઈ.
ઇન્દ્રે પ્રભુની સ્તુતિ કર્યા પછી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.
ત્યારબાદ શ્રી સુમતિનાથ પ્રભુએ સર્વ ભાષાઓને અનુસરનારી વાણીથી દેશના આપવાનો આરંભ કર્યો. પ્રભુની વાણીમાં સંસારના સ્વરૂપની ઓળખ હતી. ભવસાગર પાર કરવાની ઘોષણા હતી.
પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામેલા અનેક નર-નારીઓએ ચારિત્ર્યવ્રત ગ્રહણ કર્યું. તેમાંથી ચમર વગેરે સો ગણધરો થયા. તેઓએ પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચી.
જ્યારે પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે શ્રી સુમતિનાથ પ્રભુએ દેશના સમાપ્ત કરી. ત્યારપછી પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને ચમર ગણધરે દેશના આપવા માંડી. જ્યારે બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના સમાપ્ત કરી. એટલે ઇન્દ્રાદિક દેવતાઓ અહતને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાને ગયા.
શ્રી સુમતિનાથ પ્રભુના તીર્થમાં શ્વેત વર્ણવાળો, ગરૂડના વાહન-વાળો, બે દક્ષિણ ભૂજામાં વરદ અને શક્તિને ધરનારો, તથા બે વામભુજામાં ગદા અને પાશને રાખનારો તેમજ સદા સંનિધિ રહેનારો તુંબરૂ નામે યક્ષદેવતા થયો. તેમજ સુવર્ણના જેવી કાંતિવાળી પદ્મ ઉપર બેસનારી, બે દક્ષિણ ભૂજામાં વરદ અને પાશને ધરનારી, બે વામભુજામાં બીજોડું અને અંકુશને રાખનારી તથા પ્રભુની પાસે રહેનારી મહાકાલી નામે યક્ષણી શાસનદેવી થઈ.
વચનના પાંત્રીશ અતિશયથી શોભતા પ્રભુ ભવ્ય પ્રાણીઓને બોધ કરતાં પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org