________________
Sજ
ચોવીશ તીર્થંકર
જ્યારે નવ માસ અને સાડા સાત દિવસ વીત્યા, વૈશાખ માસની શુકલ અષ્ટમીનો દિવસ આવ્યો ત્યારે મંગળાદેવીએ સુખેથી કચપક્ષીના ચિલનવાળા સુવર્ણવર્ણ પુત્ર રત્નને જન્મ આપ્યો.
ઇન્દ્રોના આસનો કંપાયમાન થયા. દિકકુમારીઓએ ત્યાં આવીને યથાયોગ્ય સૂતિકા કર્મ કર્યું.
ત્યાર પછી, શક્રઇન્દ્ર આવીને મંગળાદેવીની શય્યામાંથી પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ ગયા. ત્યાં અય્યતાદિ ત્રેસઠ ઈન્દ્રોએ આવીને શક્રઈન્દ્રના ઉસંગમાં રહેલા પ્રભુને તીર્થજળથી અભિષેક કર્યો. ત્યારબાદ ઈશાન ઇન્દ્રના ઉલ્લંગમાં પ્રભુને બિરાજમાન કરીને શકઇન્દ્રો વિદુર્વેલા સ્ફટિકના ચાર વૃષભોના શીંગમાંથી નીકળેલા જળ વડે પ્રભુનું સ્નાત્ર કર્યું પછી વિલેપન કરી, વસ્ત્રાલંકાર પહેરાવી તથા આરાત્રિક ઉતારીને શક્રઈદ્ર ભક્તિથી સ્તુતિ કરવા લાગ્યો.
શક્રઇન્દ્રની સ્તુતિમાં પ્રભુ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાનો રણકાર હતો. સર્વ જીવોને કલ્યાણના માર્ગે લઈ જવાની પ્રાર્થના હતી.
આ પ્રમાણે અંતરની ભાવના દર્શાવીને શક્રઈન્દ્ર પ્રભુને લઈને મંગળાદેવીની પાસે આવ્યા, ત્યાં પ્રભુને મૂકીને પોતાના સ્થાનકે ગયા. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા તે વખતે માતાને સારી મતિ થયેલી હતી. તેથી પિતાએ પ્રભુનું નામ સુમતિ એવું નામ પાડ્યું.
ઈન્દ્રની આજ્ઞાથી ધાત્રીઓએ આવીને પ્રભુનું લાલનપાલન કર્યું. શૈશવકાળ પસાર કરીને પ્રભુ યૌવનવયને પામ્યા. તે વખતે પ્રભુની કાયા ત્રણસો ધનુષ ઊંચી થઈ. માતાપિતાના અતિઆગ્રહને વશ થઈને સુમતિનાથકુમારે અનેક સૌદર્યવતી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જન્મથી દસ લાખ પૂર્વ ગયા. ત્યારે પિતાના ઘણા આગ્રહથી પ્રભુ સુમતિનાથકુમારે રાજ્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org