________________
શ્રી સુમતિનાથ સ્વામી
ચિતાર આપ્યો. ગર્ભના પ્રભાવથી જેમની સુમત્તિ થયેલી છે એવા મંગળાદેવીએ કહ્યું : “સ્વામી, સ્ત્રીઓના વિવાદનો નિર્ણય સ્ત્રીઓને જ કરવો યુક્ત છે માટે આપ લગીરે ચિંતા કરશો નહિ. તે બંને સ્ત્રીના વિવાદનો નિર્ણય હું પોતે કરીશ.’
એમ જ થયું.
બીજે દિવસે મહારાજા સાથે મહાદેવી મંગળાદેવી રાજસભામાં આવ્યા. એ વખતે કપટી સ્ત્રી અને સાચી પણ રાજસભામાં આવી હતી.
૩
મહાદેવીએ બન્ને સ્ત્રીઓને વિવાદ થવાનું કારણ પૂછ્યું એટલે બન્ને સ્ત્રીઓએ પૂર્વની જેમ કહી સંભળાવ્યું.
મહાદેવીએ બન્ને સ્ત્રીઓની ચેષ્ટાનો અભ્યાસ કર્યો પછી કહ્યું : મારા ઉદરમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર તીર્થંકર ઉત્પન્ન થયેલા છે. તેમનો પ્રસવ થયા પછી અશોક વૃક્ષ નીચે બેસીને તે તમારા વિવાદનો નિર્ણય કરશે. માટે ત્યાં સુધી તમે બન્ને પ્રતીક્ષા sal...'
અપરમાતાએ મહાદેવીની વાત કબૂલ રાખી.
પરંતુ પુત્રની સાચી માતા તરત જ બોલી ઊઠી : “મહાદેવી, હું એક ક્ષણ પણ મારા પુત્ર વગર રહી શકીશ નહિ અને મારા અતિ વહાલા પુત્રને તેટલો સમય શોક્યને સ્વાધીન પણ કરી શકીશ નહિ. આપ સર્વજ્ઞની માતા છો તો આપ પોતે જ આજે જ તેનો નિર્ણય કરો.’
મહાદેવીને થયું કે આ સ્ત્રી કાલક્ષેપને સહન કરી શકતી નથી માટે તે જ તેની સાચી માતા છે.
મહાદેવીએ તરત જ સાચી માતાના હાથમાં પુત્રને સોંપ્યો. સભાજનોએ આનંદ વ્યક્ત કર્યો.
બન્ને સ્ત્રીઓ પોતપોતાને સ્થાને જવા વિદાય થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org