________________
ચોવીશ તીર્થંકર
ત્યારે પ્રથમ પુત્રની અપર માતા બોલી : ‘કૃપાનાથ, અમારા બન્ને વચ્ચેનો કલહ સર્વ ઠેકાણે કહેવામાં આવ્યો છે. પરંતુ કોઈએ અમારા પ્રશ્નનું સમાધાન કરેલ નથી. આપ ધર્મરાજા છો. આપના થકી જ યોગ્ય ન્યાય મળશે એમ ધારીને હું આપના શરણે આવી છું. આ મારો પુત્ર છે. મેં એનો યોગ્ય રીતે ઉછેર કર્યો છે. તેથી આ સર્વ ધન મારું જ છે કારણ કે જેનો પુત્ર તેનું જ ધન કહેવાય...'
કર
ત્યારપછી પુત્રની સાચી માતાએ મધુર સ્વરે રાજાની સામે જોઈને કહ્યું : હે રાજન, આ પુત્ર અને ધન મારાં છે. આ મારી શોકય સંતાન વગરની છે. તે ધનના લોભથી મારા સાથે કલેશ કરે છે. જ્યારે અમારા સ્વામી જીવતા હતા ત્યારે તે મારા પુત્રનું મારી સાથે એ પણ પાલન કરતી હતી. તે વખતે મેં સરળતા કેળવીને તેને તેમ કરતાં અટકાવી નહિ. એ સરળતાનું પરિણામ ભોગવવાનું મારા શિરે આવ્યું છે. આપ અમારા કલહને શાંત કરીને ઉંચિત ન્યાય આપો...
મહારાજા મેઘ વિચારમાં પડી ગયા.
મહારાજાને થયું કે આ કોયડો ઉકેલવો ગૂંચવણભર્યો છે. મહારાજાએ સભાજનો સમક્ષ બન્ને સ્ત્રીઓનો પ્રશ્ન મૂકયો પણ કોઈ ઉત્તર શોધી શક્યું નહિ.
મહારાજાએ બન્ને સ્ત્રીઓને આશ્વાસન આપીને જેમ બને તેમ ઉકેલ ત્વરિત શોધાઈ જશે તેવો ઉત્તર આપ્યો.
સભા સમાપ્ત થઈ.
મહારાજા મેઘ રાજભવનમાં આવ્યા.
સ્વામીનો ચિંતામગ્ન ચહેરો જોઈને મંગળાદેવીએ પ્રશ્ન કર્યો : 'સ્વામી આજ આપ ચિંતાતુર કેમ જણાઓ છો ? શું . વિપત્તિ આવી પડી છે ?'
મહારાજાએ
પત્નીને રાજસભામાં બનેલી ઘટનાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org