________________
શ્રી સુમતિનાથ સ્વામી
૧
તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવીને શ્રાવણ માસની શુકલ દ્વિતીયાના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્ર આવતા ત્યાંથી ચ્યવીને મંગલાદેવીની કુક્ષિમાં અવતર્યા.
આ સમયે મહારાણી મંગળાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારા ગજેન્દ્ર વગેરે સહિત ચૌદ મહાસ્વપ્નો જોયાં મંગળારાણીએ ગર્ભ ધારણ કર્યો.
આ દિવસો દરમ્યાન એક ધનાઢ્ય વેપારી પોતાની બે સરખી વયની સ્ત્રીઓને સાથે લઈને વેપાર અર્થે દૂર દેશાંતર ગયો. માર્ગમાં એક પત્નીએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રને તે ધનાઢ્યની બને પત્નીઓએ સમદષ્ટિ રાખીને ઉછેરીને મોટો કર્યો.
પરંતુ દીર્ઘકાળ પછી એ ધનાઢ્ય વેપારી પોતાની પત્નીઓ અને પુત્ર સાથે ધન મેળવીને પાછો ફરતો હતો ત્યારે તે વેપારીનું માર્ગમાં જ મૃત્યુ થયું. પોતાના સ્વામીનું માર્ગમાં મૃત્યુ થતાં તે વેપારીની બન્ને પત્નીઓ શોકથી અશ્રુઓ વહેવડાવતી રહી.
વેપારીની એક કપટથી ભરેલી સ્ત્રી “આ પુત્ર અને ધન મારું છે.' એમ કહેતી પુત્રની સાચી માતા સાથે કલહ કરવા લાગી.
તેઓમાંથી એક ખરી માતા પુત્ર અને ધનનું ક્ષેમ અને બીજી કપટી માતા પુત્ર અને ધનનો યોગ ઈચ્છતી હતી.
બને વેપારી પત્નીઓ સત્વર અયોધ્યાનગરીમાં આવી અને ન્યાયાચાર્યને ફરિયાદ કરી. પરંતુ વેપારી પત્નીનો પ્રશ્ન ન્યાયાચાર્યથી ઉકેલાયો નહિ આથી બને પત્નીઓ રાજા પાસે આવી.
મહારાજા મેઘે બન્ને વેપારી પત્નીઓને સભામાં બોલાવી અને કલહનું કારણ પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org