________________
૫
: શ્રી સુમતિનાથ સ્વામી
વિનીતા નગરી.
સુંદર અને દર્શનીય નગરી.
વિનીતા નગરીના રાજમાર્ગો, ઉઘાનો તેમજ ભવનો અપૂર્વ અને દર્શનીય હતા. વિનીતા નગરીની પ્રજા સુખ અને સાહ્યબીમાં પોતાના દિવસો પસાર કરતી હતી.
આ સમયે વિનીતા નગરીમાં ઈક્ષ્વાકુ વંશના રાજા મેઘ રાજ્યનો કારભાર સંભાળી રહ્યા હતા.
મહારાજા મેઘ ન્યાયી, ધર્મિષ્ઠ અને દયાળુ પ્રકૃતિના રાજવી હતા. રાજા મેઘ પ્રજાવત્સલ રાજવી હતા.
મહારાજા મેઘ પ્રજાના પ્રીતિપાત્ર રાજા હતા. પ્રજા રાજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી. એ રીતે રાજા પણ પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં
દુઃખી.
મહારાજા મેઘ રાજ્યનો કારભાર કુશળતાથી વહન કરતાં હતાં. ક્યાંય કલહ કે અશાંતિ નહોતી પ્રજા નિરાપદ રીતે પોતાનું જીવન સુખમય રીતે પસાર કરતી હતી.
મહારાજા મેઘને મંગળા નામની પટ્ટરાણી હતી. મંગળા રાણી શીલવતી, સંસ્કારી અને ગુણી સ્ત્રી હતી. પતિના વચનોને અનુસરીને ચાલનારી નારી હતી.
મહારાજા મેઘ અને રાણી મંગળાનું સહજીવન આનંદ, ઉલ્હાસ સાથે વ્યતીત થતું હતું.
એક દિવસ.
પુરુષ સિંહનો જીવ જે વૈજયંત વિમાનમાં ગયેલો છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org