________________
૫૮
ચોવીશ તીર્થંકર
પ્રભુએ દેશના સમાપ્ત કરી.
રાજાએ વસ્તુ મંગાવીને તેને ઉડાડી જે દેવતા, રાજા અને મનુષ્યો અનુક્રમે લઈ ગયા.
ત્યારબાદ જગત્પતિ ત્યાંથી ઊઠીને વચલા કિલ્લામાં આવી ઈશાન દિશામાં રહેલા દેવદા ઉપર બિરાજમાન થયા.
પ્રભુના ચરણપીઠ પર બેસીને વજનાભ ગણધર તથા શ્રુતકેવલી વગેરેએ દેશના આપવા માંડી. જ્યારે બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે દેશના સમાપ્ત કરી.
- ત્યાર પછી દેવતાઓ વગેરે સૌ પ્રભુને ભાવભય વંદન કરીને પોતપોતાના સ્થાને જવા વિદાય થયા.
શ્રી અભિનંદન સ્વામીના તીર્થમાં શાસનદેવતા તરીકે શ્યામ કાંતિવાળો, હાથીના વાહન ઉપર બેસનાર, બે દક્ષિણ ભુજાઓમાં બીજોરૂ અને અક્ષસૂત્ર ધારણ કરનાર અને બે વામાં ભુજાઓમાં નકુલ અને અંકુશને રાખનાર યક્ષેશ્વર નામનો યક્ષ થયો.
યક્ષેશ્વર હંમેશાં પ્રભુની સેવામાં તત્પર રહેતો હતો.
જ્યારે શ્યામ વર્ણવાળી, કમળના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાશને ધારણ કરનારી તથા બે વાયભુજામાં નાગ તથા અંકુશ ધારણ કરનારી કાલિકા નામે શાસનદેવી થઈ જે પ્રભુની સેવામાં ખડેપગે રહેતી હતી.
ચોત્રીસ અતિશયોએ યુક્ત એવા શ્રી અભિનંદન સ્વામી તીર્થકર ભગવંત ગ્રામ, નગર વગેરેમાં પ્રાણીઓને બોધ કરતાં સર્વત્ર વિહાર કરવા લાગ્યા.
શ્રી અભિનંદન સ્વામી ભગવંતને વિહાર કરતાં કરતાં ત્રણ લાખ સાધુઓ, છ લાખને ત્રીસ હજાર સાધ્વીઓ. નવ હજાર ને આઠસો અવધિજ્ઞાનીઓ, એક હજાર અને પાંચસો ચૌદ પૂર્વી, અગિયાર હજાર છસો ને પચાસ મન:પર્યવ જ્ઞાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org