________________
શ્રી અભિનંદન સ્વામી
૫૭
ઊંચા ચૈત્યવક્ષની પ્રભુએ પ્રદક્ષિણા કરી. “તીર્થાય નમઃ ” એમ બોલીને પ્રભુએ દેવજીંદાના મધ્યભાગમાં રહેલા પૂર્વાભિમુખ સિંહાસનને અલંકૃત કર્યું.
ત્યાર પછી દેવ, અસુર મનુષ્ય સહિત પોતપોતાના યોગ્ય દ્વારેથી પ્રવેશ કરીને સ્થાન ગ્રહણ કર્યું.
ઇન્દ્ર તરત જ પ્રભુની સ્તુતિ કરી. ઈદ્ર અંતરના ભાવ પ્રભુની સમક્ષ રજૂ ક્યાં. - શ્રી અભિનંદન સ્વામીએ દેશના આપવી શરૂ કરી.
આ સંસાર અસાર છે. વિપત્તિઓની ખાણરૂપ છે. સંસારના રહસ્યને જાણી લેવાની જરૂર છે. દેહશુદ્ધિ જેમ માનવીની કાયાને ચર્મરોગ આદિથી બચાવે છે, યકૃત શુદ્ધિ જેમ કાયાને દરદોથી ઉગારે છે, મનની શુદ્ધિ જેમ અશુભ કર્મોથી બચાવે છે. કર્મ શુદ્ધિ જેમ મુક્તિનો પંથ ઉજ્વળ બનાવે છે, તેમ આત્માની શુદ્ધિ શાશ્વત સુખનો યોગ આપે છે. આત્મશુદ્ધિ, કર્મશુદ્ધિ અને મનની શુદ્ધિ, આ ત્રણેય શુદ્ધિ ભવભ્રમણના અંત માટે આવશ્યક છે.
શ્રી અભિનંદન સ્વામીએ સંસારનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ તથા આત્માના સ્વરૂપ વિષે જણાવ્યું.
શ્રી અભિનંદન સ્વામી ભગવંતની દેશનાથી અનેક નગરનારીઓએ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી.
વજનાભ સહિત એકસો ને સોળ ગણધરો થયા. તેમને વિધિ પ્રમાણે અનુયોગ અને ગણની અનુજ્ઞા આપીને પ્રભુએ શિક્ષારૂપ ધર્મદિશના આપી.
ત્યારબાદ પ્રભુએ જન્મ, વ્યય અને ધ્રુવમય ત્રિપદી તેઓને કહી બતાવી. તે ત્રિપદીના આધારે તેમણે દ્વાદશાંગીની રચના કરી.
થોડી વારે પૌરૂષી પૂરી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org