________________
૫૬
ચોવીશ તીર્થકર
દિવસના છેલ્લા પ્રહરમાં શ્રી અભિનંદન સ્વામીએ છઠ્ઠનું તપ કરીને પંચમુષ્ટિ લોચ કર્યો. ઇન્દ્રાદિ દેવોએ પ્રભુના કેશને પોતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં લઈને ક્ષણવારમાં ક્ષીર સમુદ્રમાં પધરાવી પાછા આવ્યા.
શ્રી અભિનંદન સ્વામીએ સામાયિક સૂત્ર ભણીને ચારિત્રનો સ્વીકાર કર્યો. તે જ વખતે મનઃ પર્યવ નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ પણ પ્રવજ્યાનો પંથ સ્વીકાર્યો.
દીક્ષાનો માંગલિક પ્રસંગ ધામધૂમથી પૂર્ણ થયા પછી ઈન્દ્રાદિ દેવો પોતાના સ્થાને ચાલ્યા ગયા.
બીજે દિવસે શ્રી અભિનંદન સ્વામીએ અયોધ્યાનગરીના રાજા ઇન્દ્રદત્તના ભવનમાં ક્ષીરથી પારણું કર્યું. આ સમયે દેવતાઓએ દ્રવ્ય, પુષ્પ, સુગંધી જળ, વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાં દદુભિનો નાદ થયો.
શ્રી અભિનંદન સ્વામી ત્યાંથી વિહાર કરીને અન્યત્ર ચાલ્યા ગયા.
આ પ્રમાણે વિહાર કરતાં કરતાં પ્રભુ એક દિવસ સહસ્ત્રા» વનમાં આવ્યા ત્યાં છઠ્ઠ તપ કરીને રાયણના વૃક્ષની નીચે કાયોત્સર્ગ કરીને રહ્યાં. ધ્યાનમાં મગ્ન થતાં શુકલ ધ્યાનના બીજા પાયાને અંતે ઘાતકર્મનો ક્ષય થતાં પોષમાસની શુકલ ચતુદર્શીએ અભીચિ નક્ષત્રનો ચંદ્ર થતાં પ્રભુને નિર્મળ કેવળ જ્ઞાન પ્રગટ થયું દેવતાઓને અવધિજ્ઞાનથી જાણવા મળ્યું કે પ્રભુને કેવળજ્ઞાન થયું છે એ જાણીને ચોસઠ ઈન્દ્રો તત્કાળ ઉદ્યાનમાં આવી પહોંચ્યા અને સમવસરણ રચ્યું.
દેવતાઓએ રચેલા સુવર્ણના કમળ પર ચરણને ધારણ કરતાં પ્રભુએ પૂર્વ દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો.
સમવસરણની મધ્યમાં રહેલાં બે ગાઉ અને બસો ધનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org