________________
શ્રી અભિનંદન સ્વામી
૫૫
અને એક દિવસ અભિનંદનકુમારે યૌવનમાં પ્રવેશ કર્યો.
માતાપિતાએ અભિનંદનકુમારને વિવાહ સંબંધી પ્રાર્થના કરી ત્યારે અભિનંદનકુમારને થયું કે ભોગ્યકર્મ છે. આથી કુમારે અનેક રાજકન્યાઓ સાથે વિવાહ કયાં.
અભિનંદનકુમાર રાજકન્યાઓ સાથે સુખેથી દિવસો પસાર કરતા હતા. એ રીતે પ્રભુએ સાડાબાર લાખ પૂર્વ પસાર કર્યા. ત્યારપછી સંવર રાજાએ અભિનંદનકુમારને રાજગાદી પર બેસાડ્યા. ખૂબ જ ધામધૂમપૂર્વક રાજ્યાભિષેકનો વિધિ સંપન્ન થયો. સંવર રાજાએ પ્રવજ્યાનો માર્ગ ગ્રહણ કરીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધ્યા.
અભિનંદનકુમારે રાજ્યનો કારભાર આઠ અંગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ સુધી ચલાવ્યો.
ત્યારપછી અભિનંદન સ્વામીને પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના અંતરમાં જાગ્રત થઈ. તરત જ ઈંદ્રાદિ દેવોએ આવીને અભિનંદન સ્વામીને નમ્ર ભાવે પ્રાર્થના કરી : હે નાથ, આપ હવે ધર્મતીર્થને પ્રર્વતાવો. આપના પ્રર્વતાવેલા તીર્થથી અનેક પ્રાણીઓ આ દુસ્તર સંસારરૂપ સાગરને તરી જશે.” આટલું કહીને દેવતાઓ પોતાના સ્થાને જવા વિદાય થયા.
પ્રભુએ વાર્ષિક દાન આપવાનો આરંભ કર્યો.
સાંવત્સરિક દાન દઈ રહ્યા પછી ચોસઠ ઇન્દ્રોએ પ્રભુનો વિધિ સહિત દીક્ષાભિષેક કર્યો.
સર્વોત્તમ વસ્ત્રો, આભૂષણો ધારણ કરીને શ્રી અભિનંદન સ્વામી અર્થસિદ્ધ નામની શિબિકામાં આરૂઢ થયા. શિબિકામાં બેસીને પ્રભુ સહસ્ત્રા» વનમાં આવ્યા. ત્યાં શ્રી અભિનંદન સ્વામીએ પોતાનાં આભૂષણો વગેરે ઉતારી દીધા એટલે ઇન્દ્ર તેમના ખભા પર દેવદૂષ્ય વસ્ત્ર નાખ્યું.
માઘ માસની શુકલ દ્વાદશીએ અભિચિ નત્રક્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org