________________
ચોવીશ તીર્થંકર
ઉપ૨ આવીને
ચાલવા લાગ્યો. ક્ષણવારમાં મેરુ પર્વત અતિપાંડુકબલા નામની શિલા પાસે આવ્યા. ત્યાં પ્રભુને ખોળામાં લઈને ઇંદ્ર બેઠો. તે વખતે ત્રેસઠ ઇન્દ્રો પરિવાર સહિત આવ્યા અને જળથી ભરેલા કુંભોથી પ્રભુને સ્નાન કરાવવા
લાગ્યા.
૫૪
ત્યારબાદ ઈશાન ઇંદ્રે પાંચ રૂપ ધરીને એક રૂપે પ્રભુને રાખ્યા. એક રૂપે છત્ર ધારણ કર્યું, બે રૂપે બે બાજુ ચામર વિંજવા લાગ્યો અને એકરૂપે ત્રિશુલ લઈને આગળ ઊભો રહ્યો.
પછી શક્ર ઈંદ્ર સૃષ્ટિને માટે ચારેય દિશામાં સ્ફટિકના ચાર વૃષભ વિક્ર્તી, તેમના શૃંગમાંથી થતી જલધારાઓ વડે પ્રભુને સ્નાન કરાવ્યું પછી ચંદનનું વિલેપન કરી વસ્ત્રા અલંકારાદિ ધારણ કરાવી અને આરાત્રિક ઉતારીને શક્રેન્દ્ર અંજલિ જોડીને સ્તુતિ કરવા લાગ્યો.
‘ચોથા તીર્થંકર ભગવંત, ચોથા આરા રૂપ આકાશમાં સૂર્ય સમાન અને ચોથા પુરુષાર્થ (મોક્ષ)ની લક્ષ્મીને પ્રકાશ કરનાર હે પ્રભુ, આપ જય પામો...' આમ કહીને શક્રેન્દ્રે પોતાના હૈયાની ભાવના સ્તુતિ દ્વારા વ્યક્ત કરી.
ત્યાર પછી શક્રઇન્દ્ર પાંચરૂપે થઈ ઈશાન ઇંદ્ર પાસેથી પ્રભુને લઈને પૂર્વની જેમ છત્ર વગેરે ધારણ કરીને ક્ષણ વારમાં પ્રભુને યથાસ્થાને સ્થાપન કર્યાં. શક્રેન્દ્રે આદિ દેવો પોતાના સ્થાને ચાલ્યા
ગયા.
પ્રાતઃકાળે નગરીમાં વાયુવેગે સમાચાર પ્રસરી ગયા કે મહારાજાને ત્યાં પુત્રજન્મ થયો છે. સર્વત્ર આનંદ પ્રસરી ગયા કે મહારાજા સંવરે પુત્રજન્મોત્સવ રચ્યો જે અનેક દિવસોથી સુધી ચાલ્યો. દાનની સરિતા પણ વહેતી મૂકી દીધી.
મહારાજા સંવર તથા રાણી સિદ્ધાર્થાએ પુત્રનું નામ અભિનંદન પાડ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org