________________
શ્રી અભિનંદન સ્વામી
૫૩
આવેલાં છે. આ સ્વપ્નોથી તમને ત્રણ જગતનો ઈશ્વર એવો પુત્ર થશે.”
ત્યાં તો ઈન્દ્રાદિ દેવોએ આવીને રાજા-રાણીને સ્વપ્નનો અર્થ જણાવ્યોઃ “હે દેવી, તમારા પુત્ર ચોથા તીર્થંકર થશે.”
ઇન્દ્રાદિ દેવોના મુખેથી આ વાત સાંભળીને મહાદેવી સિદ્ધાથના હર્ષનો પાર ન રહ્યો. રાણીએ બાકીની શેષ રાત્રી જાગ્રત દશામાં જ પસાર કરી.
અને દિવસો પસાર થવા લાગ્યા. '
સુખમાં દિવસો કેમ પસાર થઈ જાય છે તેની કલ્પના આવતી નથી. મહારાજા સંવર મહાદેવની પૂરતી સંભાળ રાખી રહ્યાં હતાં.
ગર્ભ ધારણ કર્યા પછી નવ માસ અને સાડાસાત દિવસ જતા માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર અભિચિ નક્ષત્રમાં આવતા સિદ્ધાર્થી દેવીએ સૂર્યના જેવા તેજસ્વી પુત્રને સુખેથી જન્મ આપ્યો.
પ્રભુનો જન્મ થતાં ત્રણ લોકમાં પ્રકાશ ફેલાયો. ક્ષણભર નારકીના જીવોને પણ સુખ ઉત્પન્ન થયું. આ સમયે દિકુમારીઓ પોતપોતાના સ્થાનેથી આવીને દેવી તથા કુમારનું સૂતિકર્મ કર્યું. શક ઈન્દ્ર પણ પોતાનું આસન કંપિત થવાથી અન્ય દેવતાઓ સાથે ત્યાં આવ્યો. દેવી તથા કુમારને નમસ્કાર કર્યો.
કે મહાદેવી સિદ્ધાર્થ પર અપસ્વાપિની નિદ્રા મૂકી. તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ રાખીને સૌધર્મ ઈન્ડે પોતાના પાંચ રૂપ ધારણ કર્યો.
એક ઈદ્ર પ્રભુને ધરી રાખ્યા. બીજા ઈ છત્રધારણ કર્યું. બે ઈદ્રોએ બે બાજુ ચામર રાખ્યા. જ્યારે એક ઈદ્ર વજને નચાવી નાચતો નાચતો આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org