________________
૫૨
ચોવીશ તીર્થકર
તે મહાબલ રાજાનો જીવ ત્યાંથી ચ્યવીને સિદ્ધાર્થી દેવીના ઉદરમાં અવતર્યો.
જ્યારે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે સર્વત્ર આનંદ પ્રસરી ગયો. નારકીના જીવોને પણ ક્ષણ વાર સુખ ઉત્પન્ન થયું. તે રાત્રીએ સુખેથી નિદ્રા માણી રહેલા મહાદેવી સિદ્ધાથએ અંતિમ પ્રહરમાં પોતાના મુખમાં પ્રવેશ કરતાં ચૌદ સ્વપ્નો જોયાં.
ચાર દાંતવાળો શ્વેતવર્ણવાળો હાથી. ડોલરના પુષ્પ જેવો શ્વેત વૃષભ. પહોળા મુખવાળો કેસરી સિંહ. અભિષેકથી મનોહર લક્ષ્મી. પંચવણ પુષ્પોની માળા. પરિપૂર્ણ ચંદ્ર. પ્રકાશમાન સૂર્ય. ઘુઘરીઓવાળો ધ્વજ. સુવર્ણનો પૂર્ણ કુંભ. કમળોથી છવાઈ ગયેલું સરોવર. ઊછળતા તરંગવાળો સમુદ્ર. મનોહર વિમાન. સુંદર રત્નનો ઢગલો. ધૂમ્રરહિત અગ્નિ.
આ પ્રકારનાં ચૌદ સ્વપ્નો મહાદેવી સિદ્ધાર્થ રાણીએ જોયા પછી તરત જ શય્યા પરથી ઊભા થઈ જઈને સ્વામીને જાગૃત કર્યા.
સિદ્ધાર્થ રાણીએ સ્વામીને ચૌદ સ્વપ્નોની વાત કરી ત્યારે રાજા સંવરે અતિ હર્ષિત થઈને કહ્યું: ‘દેવી, તમને અદ્ભુત સ્વપ્નો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org