________________
૪
• શ્રી અભિનંદન સ્વામી
અયોધ્યાનગરી. દૈદિપ્યમાન નગરી.
અયોધ્યા નગરીમાં સંવર નામના રાજા રાજ કરે.
સંવર રાજા ન્યાયી, ધર્મિષ્ઠ અને બળવાન રાજવી. સંવર રાજા પ્રજાવત્સલ રાજવી.
રાજા પ્રજાને ખૂબ ચાહે. પ્રજા રાજાને ખૂબ ચાહે.
રાજા અને પ્રજા વચ્ચે સ્નેહનો એક સેતુ રચાયો હતો. જ્યાં સ્નેહની સરિતા વહેતી હોય ત્યાં કડવાશને સ્થાન હોતું નથી. સંવર રાજાને સિદ્ધાર્થ નામે રાણી હતી. શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી અને ગુણોથી મનોહર તે રાણી અંતઃપુરના આભૂષણરૂપ ગણાતી હતી.
સિદ્ધાર્થ રાણી માત્ર રૂપનું માધુર્ય છલકાવતી ન હતી પરંતુ એના મુખ પર સંસ્કાર અને સદ્ગુણનું તેજ ઝગારા મારતું હતું.
સંવર રાજા અને સિદ્ધાર્થા રાણીના સહજીવનની યાત્રા નિરાપદ અને સુખેથી પસાર થતી હતી. જ્યાં નિરંતર પ્રેમની ધારા વહેતી હોય ત્યાં કલેશનો પ્રવેશ શી રીતે થઈ શકે ? રાજા-રાણીનું જીવન સુખેથી પસાર થતું હતું.
એક દિવસ.
મહાબલ નામના રાજાના જીવે વિજય વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સુખમાં પસાર કર્યું. પછી આયુષ્ય પૂર્ણ થયે વૈશાખ માસની શુકલ ચતુર્થીએ અભિજિત નક્ષત્રમાં ચંદ્ર આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org