________________
ચોવીશ તીર્થંકર
સ્વામીએ સાધુઓના પરિવાર સાથે તે સ્થાનેથી અન્યત્ર વિહાર કર્યો.
૫૦
શ્રી સંભવનાથ સ્વામી ભગવંતને બે લાખ સાધુઓ, ત્રણ લાખ અને છત્રીસ હજાર સાધ્વીઓ, બે હજાર અને દોઢસો ચૌદ પૂર્વધારી, નવ હજાર અને છસો અવધિજ્ઞાની, બાર હજાર અને દોઢસો મન:પર્યવજ્ઞાની, પંદર હજાર કેવળજ્ઞાની, ઓગણીશ હજાર અને આઠસો વૈક્રિય લબ્ધિવાળા, બાર હજાર વાદ લબ્ધિવાળા (વાદી) બે લાખ ત્રાણું હજાર શ્રાવકો અને છ લાખ ને છત્રીશ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો.
શ્રી સંભવનાથ સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ચાર પૂર્વાંગ અને ચૌદ વર્ષોથી ન્યૂન એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કર્યો. એ પછી સર્વજ્ઞ પ્રભુ પોતાનો મોક્ષકાળ નજીક જાણીને પરિવાર સહિત સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં એમણે એક હજાર મુનિઓ સાથે પાદપોપદમ અનસન કર્યું. એ વખતે ઇંદ્રાદિદેવો પોતાના પરિવાર સાથે આવીને પ્રભુની સેવા-ભક્તિ
કરવા લાગ્યા.
એક માસના અંતે શ્રી સંભવનાથ સ્વામીએ શૈલેષી નામનું છેલ્લું ધ્યાન પ્રાપ્ત કર્યું.
અને ચૈત્ર માસની શુકલ પંચમીના દિવસે ચાર અનંતને સિદ્ધ કરતાં શ્રી સંભવનાથ સ્વામી નિર્વાણપદને પામ્યા. એક હજાર મુનિવરો પણ મોક્ષપદના અધિકારી બન્યા.
શ્રી સંભવનાથ સ્વામીએ કુમા૨૫ણામાં પંદર લાખ પૂર્વ, રાજ્યમાં ચા૨ પૂર્વાંગ સહિત ચુમાલીસ લાખ પૂર્વ અને દીક્ષામાં યાર પૂર્વાંગે વર્જિત એક લાખ પૂર્વ એ રીતે એકદંરે સાઠ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું.
શ્રી અજિતનાથ સ્વામીના નિર્વાણ પછી ત્રીસ લાખ કોટી સાગરોપમ ગયા ત્યારે શ્રી સંભવનાથ સ્વામી નિર્વાણપદને
પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org