________________
શ્રી સંભવનાથ સ્વામી
પછી શક્રેન્દ્ર પ્રભુને વંદન કરીને સ્તુતિ કરવાનો આરંભ
કર્યો.
ઇન્દ્રે સ્તુતિ પૂરી કર્યા પછી શ્રી સંભવનાથ સ્વામીએ દેશના દેવાનો આરંભ કર્યો.
૪૯
શ્રી સંભવનાથ સ્વામીએ સચરાચર સંસારની અનિત્યતા સમજાવીને પ્રાણીઓએ પરિગ્રહનો ત્યાગ કરી નિત્ય સુખવાળું શાશ્વત પદ (મોક્ષ) મેળવવા માટે પ્રયત્નશીલ થવા જણાવ્યું.
પ્રભુની દેશના સાંભળીને તત્કાળ અનેક પુરુષો અને સ્ત્રીઓએ સ્વામીના ચરણકમળની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યાર પછી ચારૂ વગેરે ગણધરોને પ્રભએ સ્થિતિ, ઉત્પાદ અને નાશ એવી ત્રિપદીનો ઉદ્દેશ કર્યો. એ ત્રિપદીને અનુસરીને એકસોને બે ગણધરોએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગી રચી.
ઇંદ્ર આદિ દેવતાઓએ સમોવશરણનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવ્યો.
શ્રી સંભવનાથ સ્વામીના તીર્થમાં ત્રિમુખ નામનો યક્ષ ઉત્પન્ન થયો. તેને ત્રણ નેત્ર, ત્રણ મુખ અને છ હાથ હતા. તેનો શ્યામવર્ણ હતો. મયૂર તેનું વાહન હતું. જમણી તરફની ત્રણ ભુજાઓમાં એણે નકુલ, ગદા અને અભયને ધારણ કર્યા હતા અને ડાબી તરફની ત્રણ ભુજાઓમાં બીજોરૂ, માળા અને અક્ષસૂત્ર રાખેલા હતા.
એ રીતે તીર્થમાં દુરિતારિ નામે એક દેવી (યક્ષિણી) ઉત્પન્ન થઈ તેને ચાર ભુજાઓ હતી. એનો વર્ણ ગૌર હતો અને મેષનું વાહન હતું. દક્ષિણ તરફની બે ભુજાઓમાં વરદ અને અક્ષસૂત્રથી અને વામ તરફની બે ભુજાઓમાં સર્પ અભય હતા.
આ ત્રિમુખ યક્ષ અને દુરિતારિદેવી બંને પ્રભુના શાસન દેવતા થયા. તેઓ નિરંતર પ્રભુની પાસે આત્મરક્ષાની જેમ રહેવા લાગ્યા. તે પછી તે ચોત્રીસ અતિશયવાળા શ્રી સંભવનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org