________________
४८
ચોવીશ તીર્થકર
દરવાજા મૂક્યા. બીજી મધ્ય કિલ્લાની અંદર ઈશાન કુણમાં દેવતાઓએ એક દેવછંદ રચ્યો. ત્રીજા કિલ્લાની પૃથ્વીના મધ્યભાગમાં વ્યંતરોએ બે કોશ અને આઠસો ધનુષ ઊંચું એક ચૈત્યવૃક્ષ બનાવ્યું. તેની નીચે મણિમય પીઠ બાંધીને એક પાદપીઠવાળું રત્નનું સિંહાસન કર્યું દેવછંદ પર ત્રણ છત્રીઓ રચી. બે પક્ષો ચામર લઈને ત્યાં ઊભાં રહ્યાં. ધર્મચક્ર સમવસરણના આગળના ભાગે સ્થાપવામાં આવ્યું.
દેવતાઓએ સંચાર કરેલા નવકમલ ઉપર ચરણને આરોપણ કરતાં અને કોટી દેવતાઓની સાથે પ્રભુએ પૂર્વ દ્વારથી સમોસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ “નમો તિથય' એમ બોલીને દેવછંદમાં રહેલા સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા.
તરત જ વ્યંતરોએ અન્ય ત્રણેય દિશાઓમાં મૂકાયેલા સિંહાસનો પર પ્રભુનાં પ્રતિબિંબો સ્થાપન કર્યો. તે સમયે પ્રભુના મસ્તકના પાછલા ભાગમાં ભામંડળ થયું. આગળના ભાગમાં ઈન્દ્રધ્વજ થયો અને આકાશમાં દંદુભિનો મધુરો નાદ થયો. - પૂર્વદ્વારેથી પ્રવેશ કરીને સાધુઓ અગ્નિકુણમાં બેઠા.
વૈમાનિક સ્ત્રીઓ તથા સાધ્વીઓ તેમની પાછળના ભાગે ઊભી રહી.
ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દ્વારેથી પ્રવેશ કરીને પ્રભુના ચરણને નમી નેઋત્ય કૂણમાં બેઠા.
ભવનપતિ, જ્યોતિષ્ક તથા વ્યંતર દેવતાઓ પશ્ચિમ દ્વારેથી પ્રવેશ કરીને પ્રભુને નમીને વાયવ્ય કૂણમાં બેઠા.
વૈમાનિક દેવતાઓ, નર તથા નારીઓ ઉત્તરદ્વારથી પ્રવેશ કરીને પ્રભુને વંદન કરીને ઈશાન દિશામાં બેઠા.
પહેલા કિલ્લામાં શ્રી ચતુર્વિધ સંઘ, બીજા કિલ્લામાં તિય અને ત્રીજા કિલ્લામાં સર્વ વાહનો ગોઠવાયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org