________________
શ્રી સંભવનાથ સ્વામી
૪૭
અને આકાશવાણી થઈ? અહોદાન, મહાદાન, સુદાન...”
જે જગ્યાએ ભગવંતે પારણું કર્યું તે ઠેકાણે સુરેન્દ્રદત્તે એ સુવર્ણ મણિમય પીઠ રચાવ્યું. રાજા સુરેન્દ્રદત્ત પ્રભુના ચરણની પેઠે તે પીઠની ત્રિકાલ પૂજા કરતો અને તે પૂજા કર્યા સિવાય ભોજન ગ્રહણ કરતો નહિ.
ભગવાન સંભવનાથ સ્વામી ત્યાંથી નીકળીને અનેક ગામ, શહેર, રાજ્યોમાં ચૌદ વર્ષ સુધી વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં પ્રભુ નવા નવા અભિગ્રહો કરતા હતા. ઉદ્વેગ સિવાય બાવીસ પરિસહોને સહન કરતા હતા. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિને ધારણ કરતા હતા.
અનુક્રમે સહસ્ત્રાપ્ર વનમાં સાળવૃક્ષની નીચે શુકલ ધ્યાનને બીજે પાયે વર્તતા પ્રભુએ કાર્યોત્સર્ગ કર્યો, ચાર પ્રકારના ઘાતિકર્મ ક્ષય થઈ ગયા.
કારતક માસનાં કૃષ્ણપક્ષની પંચમીના દિવસે ચંદ્ર મૃગશિર્ષ નક્ષત્રમાં આવ્યો ત્યારે શ્રી સંભવનાથ સ્વામીએ છઠ્ઠતપ કર્યો હતો. એ પળે જ પ્રભુને કેવળજ્ઞાન ઉપલબ્ધ થયું.
સુર અસુરના, ઇન્દ્રોના આસનો ડોલવાથી તત્કાળ કેવળજ્ઞાનનો મહિમા કરવા માટે ત્યાં આવ્યા.
સમવસરણ કરવાને માટે વાયુકુમાર દેવતાઓએ એક યોજન સુધી પૃથ્વીને સ્વચ્છ કરી. મેઘકુમાર દેવોએ તેમાં સુગંધી દ્રવ્યોથી મિશ્રિત જળનો છંટકાવ કર્યો. પછી વ્યંતરોએ સુવર્ણ અને રત્નના પાષાણોથી ભૂમિને બાંધી લીધી અને એના પર પાંચ વર્ણનાં પુષ્પો વેરી દીધાં. તે પછી તેઓએ ચારેય દિશાઓમાં શ્વેત છત્ર, ધજા, ખંભ અને મધરમુખાદિ ચિન્હોથી સુશોભિત એવાં ચાર તોરણો વિકવ્ય, તેમની વચ્ચે ભવનપતિઓએ રત્નની પીઠિકા બનાવી. તેની ચારે તરફ ફરતો સુવર્ણના કાંકરાવાળો રૂપાનો કિલ્લો રચ્યો. તેની ઉપર વૈમાનિકોએ માણિક્યના કાંગરાવાળો સુવર્ણનો કિલ્લો રચ્યો. પ્રત્યેક કિલ્લાને ચાર ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org