SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ચોવીશ તીર્થંકર આ રીતે રાજ્યનો કારભાર ચલાવતા શ્રી સંભવનાથ સ્વામીએ ચાર પૂવગ સહિત ચુમ્માલીશ લાખ વર્ષ પસાર કર્યો. જેમનો આત્મા ત્રણ જ્ઞાનથી વ્યાપ્ત છે એવા શ્રી સંભવનાથ સ્વામીના અંતરમાં સંસારની અસારતા વ્યાપી ગઈ. સંસારનાં સુખો પ્રત્યે અરુચિ ઉત્પન્ન થઈ. દેવતાઓએ આવીને પ્રભુને વિનંતી કરી કે, “સ્વામી, તીર્થ પ્રવર્તાવો, આટલું જણાવીને દેવતાઓ ચાલ્યા ગયા. શ્રી સંભવનાથ સ્વામીના અંતરમાં પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના મજબૂત બની અને સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. શ્રી સંભવનાથ સ્વામી એક વર્ષમાં ત્રણસો અઠયાસી ક્રોડ અને એંસી લાખ સુવર્ણમુદ્રાનું દાન કર્યું. - વાર્ષિક દાનના અંતે ઇન્દ્રાદિ દેવોઓ તીર્થજળના કુંભો વડે જન્માભિષેકની જેમ પ્રભુને વિધિપૂર્વક દીક્ષા સંબંધી અભિષેક કર્યો. માગસર માસની પૂર્ણિમાના દિવસે દિવસના અંતિમ પ્રહરમાં પ્રભુ શ્રી સંભવનાથ સ્વામીએ મસ્તકના કેશનો પંચમુષ્ટિ વડે લોચ કર્યો. તત્કાળ તે કેશને સૌધર્મેદ્ર પોતાના વસ્ત્રના છેડામાં લઈને ક્ષીરસમુદ્રમાં ક્ષેપન કયાં. શ્રી સંભવનાથ સ્વામીએ ચારિત્ર્ય ગ્રહણ કરતાં જ મનપર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. ઈન્દ્ર પ્રભુની ભાવભરી સ્તુતિ કરી. શ્રી સંભવનાથ સ્વામી બીજે દિવસે સુરેન્દ્રદત્ત નામના રાજાને ત્યાં પારણું કરવાની ઇચ્છાથી ગયા. પોતાના આંગણે પ્રભુને આવેલા જોઈને સુરેન્દ્રદત્ત રાજા અતિ હર્ષ પામ્યો અને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને ઉત્તમ દૂધપાક (ક્ષીર) લઈને આ ગ્રહણ કરો..” એમ કહેવા લાગ્યો. શ્રી સંભવનાથ સ્વામીને હસ્તરૂપી પાત્રમાં ક્ષીર ગ્રહણ કરી દેવતાઓએ આ પ્રસંગને વધાવી લીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy