________________
શ્રી સંભવનાથ સ્વામી
સુવર્ણના જેવી કાંતિવાળા જગદ્ગુરૂ કૌતુકથી પુરુષનું રૂપ ધારણ કરીને આવેલા મેરુ પર્વતની જેવા શોભવા લાગ્યા. સંભવનાથ સ્વામી યૌવન વયથી અધિક શોભવા લાગ્યા.
એક વખતે મહારાજા જિતારી અને માતા સેનાદેવીએ સંભવનાથ સ્વામીને વિવાહ કરી લેવા માટે વાત કરી. પ્રભુએ ભોગકર્મ છે એમ જાણીને માતાપિતાની આજ્ઞા પાળવાને રાજકન્યાની સાથે પાણિગ્રહણ કરવાનું કબૂલ કર્યું.
સંભવનાથ સ્વામીની સંમતિ મળતાં જ મહારાજા જિતારી અને સૈનાદેવી અત્યંત આનંદિત થયા. સંભવનાથ સ્વામીનો વિવાહોત્સવ ભવ્ય રીતે ઉજવાય તે માટે તૈયારીઓ આરંભી દીધી. સાક્ષાત ઈન્દ્રે આવીને પ્રભુના વિવાહોત્સવમાં પ્રસન્ન હૈયે ભાગ લીધો. હા હા અને હું હું નામના ગંધર્વો ગંભીર મૃદંગો બજાવીને મધુર સ્વરે ગાયન કરવા લાગ્યા. રંભા અને તિલોત્તમા વગેરે અપ્સરાઓ સંભવનાથ સ્વામીના વિવાહોત્સવ નિમિત્તે નૃત્ય કરવા લાગી. નગર નારીઓ ઊંચા સ્વરે મંગલ ગીતો ગાવા લાગી.
૪૫
અને ભવ્ય રીતે શ્રી સંભવનાથ સ્વામીનો વિવાહોત્સવ પૂરો થયો. ચારે તરફ આનંદ છવાઈ ગયો હતો.
કૌમારવયમાં વિવિધ ભોગને ભોગવતાં સંભવનાથ સ્વામીને પંદર લાખ પૂર્વ નિર્ગમન થયા.
તે સમય મહારાજા જિતારીના હૈયામાં વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તરત જ સંભવનાથ સ્વામીનો રાજ્યાભિષેક કરીને પ્રવજ્યાનો માર્ગ ગ્રહણ કર્યો.
શ્રી સંભવનાથ સ્વામીએ રાજ્યનો કારભાર સંભાળ્યો. પ્રભુના રાજ્યશાસન દરમ્યાન પ્રજા સુખી અને સમૃદ્ધ બની. કોઈ જગ્યાએ અન્યાય, અનીતિ કે દુરાચારનું નામોનિશાન નહોતું. લોકો સુખેથી પોતાનો જીવનનિર્વાહ ચલાવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org