SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ચોવીશ તીર્થંકર પ્રાતઃકાળે મહારાજા જિતારી રાજાએ પુત્રજન્મના ઉત્સવની તૈયારી આરંભવાની સૂચના આપી. રાજભવનમાં મહાદેવી સેનાદેવીની કુક્ષીએ પુત્રજન્મ આપ્યો છે આ સમાચાર વાયુવેગે નગરીમાં પ્રસરી ગયા અને લોકો વધાઈ આપવા રાજભવન ભણી આવતા હતા. અક્ષત ભરેલા સુવર્ણના થાળી લઈને સ્નેહીઓ રાજભવન પર વધાઈ આપવા આવવા લાગ્યા. સર્વકલ્યાણમાં અગ્રેસર એવાં અનેક પ્રકારનાં વાંજિત્રોના સ્વરોથી વાતાવરણ આનંદભર્યું અને ઉલ્લાસજનક બન્યું. નવીન કુમકુમના સાથીઆઓ વડે પૂરેલાં સેંથાવાળી અને સુમધુર સ્વરે ગીતો ગાતી કુળ બાલિકાઓ પ્રસન્ન હૃદયે રાજભવનમાં નૃત્ય કરવા લાગી. મહારાજા જિતારીએ પુત્રજન્મની ખુશાલીમાં દાનની સરિતા વહેતી કરી. સોળ સોળ દિવસ સુધી પુત્રના જન્મનો ઉત્સવ ભવનમાં ચાલુ રહ્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શંબા (સીંગ)નું ધાન્ય ઘણું થયું હતું તેથી મહારાજા જિતારીએ પુત્રનું નામ સંભવનાથ અથવા શંભવનાથ એવું પાડ્યું. સેનાદેવી પુત્રને જોઈને તેની સાથે ક્રીડા કરીને પોતાનો દિવસ પૂરો કરતી હતી. ખરેખર સુખમાં દિવસો કયાં પસાર થઈ જાય છે તેની કલ્પના આવતી નથી. દિવસો વીતવા લાગ્યા. બાળ સંભવનાથની ક્રીડાથી રાજભવનના દાસ-દાસીઓ પ્રસન્નતા વ્યક્ત કરતા હતા. દેવદેવતાઓ પણ પ્રભુની બાળક્રીડાથી આનંદ વ્યક્ત કરતા હતા. આ પ્રમાણે ક્રીડા અને જાતજાતની રમૂજથી પ્રભુની શિશુવય પસાર થઈ ગઈ. તે સમયમાં ચારસો ધનુષ ઊંચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy