________________
શ્રી સંભવનાથ સ્વામી
માતાને ત્રણચાર પ્રદક્ષિણા કરી, વારંવાર વંદના કરીને વિધિવત રીતે પ્રભુને મેરુ પર્વતના શિખર ઉપર લઈ આવ્યા.
મેરુ પર્વત પર આવેલી અતિ પાંડુકબલા નામની શિલા પર રહેલા સિંહાસને શક્રેન્દ્ર પ્રભુને ઉત્સંગમાં લઈને આરૂઢ થયા. આ પ્રસંગે બીજા અનેક દેવતાઓ આવી ગયા. દેવતાઓ પ્રભુને સ્નાન કરાવવા લાગ્યા. આ પ્રસંગે મનોહર વાઘોનો ધ્વનિ વાતાવરણમાં પ્રસરી ગયો.
આરણાચ્યુત ઇન્દ્રે પ્રભુને દિવ્ય અંગરાગપૂર્વક પૂજા કરીને યથાવિધિ વંદના કરી. પછી શક્ર સિવાય બાકીના બાસઠ ઇન્દ્રોએ પણ જગતને પવિત્ર કરનારું પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી ઈશાન ઈંદ્રે પોતાના પાંચ સ્વરૂપ કરી એક સ્વરૂપે પ્રભુને ઉત્સંગમાં રાખ્યા. અને એક સ્વરૂપે છત્ર ધર્યું, બે સ્વરૂપે બે ચામર રાખ્યા અને એક સ્વરૂપે શક્રની જેમ વજ્ર ધારણ કરીને આગળ ઊભા રહ્યાં. પછી ભક્તિમાં ચતુર એવા શક્રેન્દ્ર પ્રભુની ચારે દિશામાં મોટા શિંગડાંવાળા સ્ફટિકના ચાર વૃષભો વિકર્યાં. તે વૃષભોના શૃંગના અગ્ર ભાગમાંથી મૂળમાંથી જુદી જુદી પ્રાંત ભાગમાં મિશ્ર થયેલી મનોહર જળની ધારાઓ નીકળીને પ્રભુના મસ્તક ઉપર પડવા લાગી.
૪૩
આ રીતે સૌધર્મકલ્પનાં ઇન્દ્રે અતિભક્તિથી બીજા ઇન્દ્રોએ કરેલા સ્નાત્રથી વિલક્ષણ પ્રકારે પ્રભુનું સ્નાત્ર કર્યું પછી શક્ર ઇન્દ્રે તે વૃષભો સંહારી લઈને પ્રભુની પૂજા કરી. હર્ષથી પ્રણામ કરીને સ્તુતિ ગાઈ. ઇન્દ્રે સ્તુતિ કરીને પ્રભુને વસ્ત્ર અલંકારો વડે અલંકૃત કરી સેનાદેવીની પડખે મૂકી ઉલ્લોચ ઉપર શ્રીદામ ગંડક બાંધ્યું અને પ્રભુના ઉશીકા નીચે બે કુંડળ તથા રેશમી વસ્ત્ર યુગ્મ મૂકીને અવસ્વાપિની નિદ્રા અને પાસે મૂકેલું અર્હુતનું પ્રતિબિંબ હરી લીધું.
ઇન્દ્રાદિ દેવો તરત જ પોતાના સ્થાને વિદાય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org