________________
૪૨
દિવસો પસાર થવા લાગ્યા.
સેનાદેવીના અંગમાં માતૃત્વની લાગણી ૨મી રહી હતી. જ્યારે સ્ત્રી માતૃત્વ ધારણ કરે છે ત્યારે સ્ત્રીના રૂપમાં તેજસ્વીતા અને પ્રસન્નતા છવાઈ જાય છે. સ્ત્રીનું રૂપ ખીલી ઊઠે છે.
ચોવીશ તીર્થંકર
મહારાજા જિતારી મહાદેવી સેનાદેવીની પૂરી સંભાળ લેતા હતા. તેના હૈયાને કોઈ પણ પ્રકારનું દુઃખ ન પહોંચે તેની
કાળજી રાખતા હતા.
અને પૂરા દિવસે એટલે કે નવમાસ અને સાડા સાત દિવસ પસાર થયા પછી માગસર માસની શુકલ ચતુર્દશીએ મૃગશિર્ષ નક્ષત્રમાં ચંદ્ર આવતાં, અશ્વના લાંછનવાળા એવા સુવર્ણ વર્ણી પુત્રને સેનાદેવીએ જન્મ આપ્યો. તે ક્ષણે ત્રૈલોક્યમાં અંધકારને નાશ કરનાર ઉદ્યોત પ્રગટ થયો. ચારે તરફ પ્રસન્નતા છવાઈ ગઈ.
આઠ
આ સમયે અધોલોકમાંથી ભોગંકરાદિક કુમારિકાઓ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મને જાણીને સેનાદેવીના વિશાળ શયનકક્ષમાં આવી. આઠેય કુમારિકાઓએ ભગવંતને તથા માતાને ત્રણ પ્રદક્ષિણા કરી પછી મધુર સ્વરે કહ્યું : માતાજી, તમે જરા પણ ભય પામશો નહિ...' આઠેય કુમારિકાઓએ પોતાનો પરિચય આપ્યો. છપ્પન દિકુમારિકાઓ પણ આ પ્રસંગે આવી ગઈ અને સૂતિકાકર્મ કર્યું.
સર્વ ઈંદ્રોના આસનો કંપાયમાન થયા. અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણી શક્રેન્દ્ર તે દિશા સન્મુખ સાત-આઠ પગલાં ભરીને તીર્થંકરને વંદના કરી. ઘંટાના ઘોષથી અને સેનાપતિની ઘોષણાથી એકઠા થયેલા દેવતાઓ પ્રભુનો જન્મોત્સવ ક૨વામાં ઉત્સુક થઈને ઇંદ્રની ફરતા બેસી ગયા. ઈંદ્ર દેવતાઓની સાથે શ્વાવસ્તી નગરીમાં આવ્યો અને પ્રભુ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org