SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંભવનાથ સ્વામી જલ મુખકમળમાં પ્રવેશ કરતાં ચૌદ મહા સ્વપ્નો જોયાં. જાણે શરદઋતુનો મેઘ હોય તેવો ગર્જના કરતો અને ઉજ્વળ મોટો ગજેન્દ્ર, સ્ફટિક મણિના પર્વતના પથ્થરનો જાણે મોટો ગોળો હોય તેવો નિર્મળ વૃષભ. કુંકુમની જેવી અતિ રક્ત કેશરાશિવાળો કેસરી સિંહ, બે હાથી જેને અભિષેક કરી રહ્યાં છે તેવી લક્ષ્મીદેવી, પંચવણ પુષ્પોની માળા, પૂર્ણચંદ્રમા, અંધકારને નાશ કરનારું સૂર્યનું મંડળ, નાદ કરતી ઘુઘરીઓની જાળ અને પતાકાવાળો મહાધ્વજ, જેના મુખ ઉપર કમળના પુષ્પો ઢાંકેલા છે એવો સુવર્ણનો જળથી ભરેલો કુંભ વિકાસ પામતાં કમળો વડે જાણે હસતું હોય તેવું મોટું પા સરોવર, મહાવિશાળ, ઊંચા તરંગોરૂપી હાથ વડે જાણે નૃત્ય કરતો હોય તેવો ક્ષીરસમુદ્ર, અને જેનું પ્રતિબિંબ કોઈ જગ્યાએ જોવામાં આવતું નથી તેવું રત્ન નિમિત વિમાન, પાતાળના ફણિધરોનો જાણે મણિ સમૂહ હોય તેવો રત્નપૂંજ અને પ્રાતઃકાળના સૂર્યની જેવો નિર્ધમ અગ્નિ. આ પ્રમાણે ચૌદ મહાસ્વપ્નો જોઈને સેનાદેવી જાગૃત થયાં. સેનાદેવી તરત જ રાજા જિતારીને પોતાને આવેલા ચૌદ સ્વપ્નોની વાત કરી ત્યારે રાજાએ અતિ હર્ષિત સ્વરે રાણીને કહ્યું : દેવી, આ સ્વપ્નના પ્રભાવથી તમને ત્રણલોકને વંદન કરવા યોગ્ય પુત્રની પ્રાપ્તિ થશે.” આ વાત સાંભળીને સેનાદેવીના હર્ષનો પાર ન રહ્યો. જ્યારે આસનકંપ થવાથી ઈન્દ્રાદિ દેવોએ ત્રીજા તીર્થંકરનું ચ્યવન જાણ્યું એટલે શ્રાવતી નગરીમાં આવીને સીધા રાજભવનમાં સેનાદેવીને નમસ્કાર કરીને સ્વપ્નોના અર્થ કહેવા લાગ્યા : હે મહાદેવી, આ અવસર્પિણી કાળમાં જગતના સ્વામી અને ત્રીજા તીર્થકર એવા તમારે પુત્ર થશે.” દેવોના મુખે સ્વપ્નાનો અર્થ જાણીને સેનાદેવી અતિ હર્ષિત થયા બાકીની રાત્રી જાગૃત અવસ્થામાં જ પસાર કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy