________________
ઃ શ્રી સંભવનાથ સ્વામી
જેબુદ્ધીપમાં ભરતાદ્ધના આભૂષણરૂપ અપૂર્વ સમૃદ્ધિ ધરાવતી શ્રાવસ્તી નામની નગરીમાં જિતારી નામના રાજા રાજ્ય કરે.
મહારાજા જિતારીના કુશળ રાજ્યસંચાલનને કારણે નગરીની પ્રજા સુખી અને ભયમુક્ત હતી. દુખનો પરિતાપ કોઈ ઠેકાણે જોવા મળતો નહોતો. પ્રજાકલ્યાણની ઉચ્ચ ભાવનાને મૂર્ત કરવા મહારાજા જિતારી હંમેશાં તત્પર રહેતા હતા.
મહારાજા જિતારી ધાર્મિકવૃત્તિ ધરાવતા હતા. તેઓ કદીયે અધર્મકારી વચન કોઈને પણ કહેતા નહિ આચરતા નહિ તેમજ મનમાં વિચારતા પણ નહિ. દુરાચારી હોય એને દંડ આપવામાં આવતો હતો.
રાજા જિતારના રાજ્યમાં કોઈ અધર્મી કે નિર્ધન હતું નહિ. રાજા શસ્ત્રધારી હોવા છતાં દયાળુ હતો. શક્તિમાન હોવા છતાં ક્ષમાવાન હતો. વિદ્વાન છતાં અભિમાન રહિત હતો.
સઘળા સદ્ગુણોથી અલંકૃત મહારાજા જિતારીને સેનાદેવી નામની પટ્ટરાણી હતી.
સેનાદેવી સુશીલ, સંસ્કારી અને ધર્મ પ્રત્યે આસ્થા રાખનારી હતી.
રાજા જિતારી અને સેનાદેવીનું જીવન આનંદપૂર્વક પસાર થતું હતું. બન્ને વચ્ચે કશો પણ, કોઈ પ્રકારનો કલહ ન હતો.
એક દિવસે વિપુલવાહન રાજાનો જીવ નવમા દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી આવીને ફાગણ માસની શુકલ અષ્ટમીના દિવસે મૃગશિર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ આવ્યો ત્યારે સેનાદેવીના ઉદરમાં અવતર્યો. આ સમયે નારકી જીવોને પણ ક્ષણ વાર સુખ ઉત્પન્ન થયું.
રાત્રીના ચોથા પ્રહરમાં મહાદેવી સેનાદેવીએ પોતાના
એક
પૂર મકાનમાં જીવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org