________________
શ્રી અજિતનાથ સ્વામી
૩૯
વર્ષ) ઉણ એવા લક્ષ પૂર્વ જતાં પોતાનો નિર્વાણ સમય જાણીને પ્રભુ સમેતશિખર ઉપર આરૂઢ થયા. તેમનું બોતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં એક હજાર શ્રમણોની સાથે તેમણે પાદપોપગમ અનસન કર્યું. સર્વ ઇન્દ્રોએ અવધિજ્ઞાનથી પ્રભુનો નિવણ સમય જાણ્યો. એટલે તેઓ સમેતશિખર પર્વતે આવ્યા.
ત્યાં દેવદેવતાઓએ પ્રભુને પ્રદક્ષિણા કરી અને સેવા કરવા લાગ્યા. જ્યારે પાદપોપગમ અણસણનો એક માસ પૂર્ણ થયો ત્યારે ચૈત્રશુકલ પંચમીના દિવસે જ્યારે ચંદ્ર મૃગશિર્ષ નક્ષત્રમાં આવ્યો ત્યારે શ્રી અજિતનાથ સ્વામીના ક્રમાનુસાર અવશિષ્ટ કર્મ ક્ષીણ થયા અને અનંત ચતુષ્ટય સિદ્ધ થયા; એટલે એ પરમાત્મા પ્રભુ જુગતિએ લોકાંગ્રને પ્રાપ્ત થયા.
પ્રભુને કૌમાર અવસ્થામાં અઢાર લક્ષ પૂર્વે ગયા. રાજ્યસ્થિતિમાં એક પૂવગે સહિત ત્રેપન લક્ષ પૂર્વે ગયા. છદ્મસ્થપણામાં બાર વર્ષ ગયા અને કેવળજ્ઞાનમાં એક પૂર્વગ તથા બાર વર્ષે વર્જિત લક્ષ પૂર્વ ગયા.
એકંદરે બોત્તેર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને શ્રી અજિતનાથ સ્વામી ઋષભ પ્રભુના નિવણથી પચાસ લાખ ક્રોડ સાગરોપમે નિવણ પદને પામ્યા. તેમની સાથે બીજા એક હજાર મુનિઓએ પાદપોપગમ અનસન કર્યું હતું. તેઓ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ત્રણ યોગનો રોલ કરી મોક્ષપદને પામ્યા.
સગરમુનિએ પણ મોક્ષપદ પ્રાપ્ત કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org