SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજિતનાથ સ્વામી ૩૭ તે વખતે સગરચક્રીના પિતા સુમિત્ર વિજય કે જે અગાઉ ભાવ યતિ થઈને રહ્યા હતા એમણે સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી અજિતનાથ સ્વામીએ ગણધર નામકર્મવાળા અને સારી બુદ્ધિવાળા સિંહસેન વગેરે પંચાણું મુનિઓને સર્વ આગમરૂપ વ્યાકરણના પ્રત્યાહારોની જેવી ઉત્પત્તિ, વિગમ અને ધ્રૌવ્યરૂપ ત્રિપદી સંભળાવી. રેખાઓના અનુસારે જેમ ચિત્ર ચિત્રે તેમ તે ત્રિપદને અનુસાર ગણધરોએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગી રચી. અજિતનાથ સ્વામીએ ઊભા થઈને ગણધરોના મસ્તક પર ઈન્ડે આપેલ ચૂર્ણ (વાસક્ષેપ) નાંખ્યો. અનુક્રમે સૂત્રથી, અર્થથી, તદુભયથી તેમજ દ્રવ્યથી, ગુણથી, પર્યાયિથી અને નયથી અનુયોગની અનુજ્ઞા તથા ગણની અનુજ્ઞા આપી. ત્યારબાદ દેવતાઓએ, મનુષ્યોએ અને સ્ત્રીઓએ બંદુભિના ધ્વનિ સાથે ગણધર ઉપર વાસક્ષેપ નાંખ્યો. થોડી વાર પછી ભગવાને ધદિશના સમાપ્ત કરી. શ્રી અજિતનાથ સ્વામી સિંહાસન પરથી ઊભા થઈને ઉત્તરદ્વારના માર્ગેથી નીકળ્યા અને મધ્યગઢના અંતરમાં ઈશાન દિશામાં રચેલા દેવછંદ પર તેમણે વિશ્રામ લીધો. પછી સગર રાજાએ રચાવેલા સિંહાસન પર બેસી સિંહસેન નામના મુખ્ય ગણધર દેશના આપવા લાગ્યા. ત્યાર પછી જેમણે પ્રશ્નો કર્યા એમને ઉત્તરો આપ્યા. સગર ચક્રવર્તી ભગવંતને નમસ્કાર કરીને પોતાના સ્થાને જવા વિદાય થયા. શ્રી અજિતનાથ સ્વામીના તીર્થનો અધિષ્ઠાયક મહાયક્ષ નામે ચતુર્મુખ યક્ષ થયો. તેનો વર્ણ શ્યામ, વાહન હાથીનું, જમણી બાજુના ચાર હાથમાં વરદ, મુગર, અક્ષસૂત્ર અને પાસ, તથા ડાબી બાજુના ચાર હાથમાં બીજોરું, અભય, અંકુશ અને શક્તિ હતા. તે સુશોભિત યક્ષ અજિતનાથ સ્વામીનો પારિપાર્શ્વક થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy